Fri,26 April 2024,11:15 am
Print
header

સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લૂંટારુઓ દેખાયા CCTVમાં

અમદાવાદઃ સોલા વિસ્તારના હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને તેમના પત્ની જ્યોત્સનાબેનની હત્યા કરાઇ હતી અહીં લૂંટ કરનારા 4 લૂંટારાઓ સીસીટીવીમાં દેખાયા છે. રૂ 2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ ચેક કર્યાં હતા, જેમાં ચારેય લૂંટારુ 2 બાઈક ઉપર આવ્યાં હોવાનું પુરવાર થયું છે.

અશોકભાઈ અને તેમના જ્યોત્સનાબેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે,પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે. હજુ સુધી લૂંટારા પોલીસની પકડમાં આવ્યા નથી, તેમના ફોટા અને જે બાઈક લઈને આવ્યાં હતા તેને આધારે તેમની શોધખોળ થઇ રહી છે.

અશોકભાઈ અને જ્યોત્સનાબેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને દુબઈથી અમદાવાદ અવર-જવર કરતા હોવાથી તેમની પાસે સોનુ વધારે મળવાની શકતાને આધારે લૂંટારુઓએ તેમના બંગલાને ટાર્ગેટ કર્યો હતો. તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી તેઓ 3 મહિનાથી દુબઈ ગયા જ ન હતા. જ્યોત્સનાબેન રોજ સવારે બહારના રોડ પર ચાલવા માટે જાય છે. અશોકભાઈ તેમની સાથે ચાલવા જતા નથી. જ્યોત્સનાબેનની ગેરહાજરીમાં લૂટારુંઓ બંગલામાં ઘૂસી અશોકભાઈ સાથે મારપીટ કરી બંધક બનાવીને દાગીના-પૈસા અને ગાડી લૂંટી જવાની યોજના કરી હતી, જેથી તેઓ આ સમયે જ ઘરમાં પ્રવેશ્યા હતા, જો કે આ લૂંટારૂઓએ બંનેની હત્યા કરી નાખી છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch