Sat,04 May 2024,5:04 pm
Print
header

ગાંધીનગરના રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા 5 પિતરાઈ ભાઈઓનાં મોત

    ગાંધીનગરના રાંધેજા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
    અકસ્માતમાં 5 લોકોનાં મોત અને એકની હાલત ગંભીર
    સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ

ગાંધીનગરઃ રાંધેજા-પેથાપર હાઈવે પર ગત મોડી રાત્રે  અકસ્માત સર્જાતા પાંચ લોકોના કમકમાટીભર્યાં મોત થઇ ગયા છે. ડ્રાઇવરે
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી.જેમાં 5 લોકોનાં મોત ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હતા,અને એકની હાલત ગંભીર છે.એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

રોંગ સાઇડ પર ઝડપી કાર ચલાવી રહેલા કારચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારમાં 6 લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા, ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. ઘરે પરત ફરતી વખતે તેઓની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર તમામ લોકો માણસાના વતની હતા. આ અકસ્માત અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોનાં નામ

    મોહમ્મદ અલ્ફાઝ
    સલમાન ચૌહાણ
    ઇસવાક ચૌહાણ
    મહંમદ બેલીમ
    શાહીલ ચૌહાણ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch