Fact Check: સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોટોગ્રાફ્સ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ચાર લાખ ખ્રિસ્તીઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો છે, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ તસવીરો પોસ્ટ કરીને ઘણા લોકો લખી રહ્યાં છે કે, "અમેરિકામાં 4 લાખ ખ્રિસ્તીઓએ પોતાના ધર્મનો ત્યાગ કરીને સનાતન ધર્મમાં પ્રવેશ કર્યો છે, જેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઘણા લોકોએ ફેસબુક અને ટ્વિટર પર આ ફોટા શેર કર્યાં છે.
Fact Check: ગુજરાત પોસ્ટ ન્યૂઝના ફેક્ટ ચેકમાં અમને જાણવા મળ્યું કે અમેરિકામાં ચાર લાખ ખ્રિસ્તીઓએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હોવાની વાત ખોટી છે, આ તસવીરો વર્ષો જૂની છે અને ઇસ્કોન સંસ્થાના કાર્યક્રમો સાથે જોડાયેલી છે.
અમને સત્ય કેવી રીતે ખબર પડી?
અમને કોઈ સમાચાર અહેવાલ મળ્યો નથી જેમાં કહેવામાં આવ્યું હોય કે અમેરિકામાં ચાર લાખ ખ્રિસ્તીઓએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. અમેરિકામાં આટલી મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો હોય તેવી શક્યતા ઓછી છે અને તેના વિશે કોઈ સમાચાર પ્રકાશિત ન થાય તે શક્ય નથી. જો આવું થયું હોત તો તેની સાથે જોડાયેલા સમાચાર પ્રકાશિત થયા હોત.
વર્ષ 2016માં વિહિપ નેતા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે તેમના સંગઠને છેલ્લા 10 વર્ષમાં 5 લાખથી વધુ ખ્રિસ્તીઓ અને 2.5 લાખ મુસ્લિમોનું ધર્મપરિવર્તન કર્યું છે. પરંતુ તોગડિયાના નિવેદન સાથે જોડાયેલા અહેવાલોમાં અમેરિકાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા 2022માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર 1990થી મોટી સંખ્યામાં અમેરિકનોએ ખ્રિસ્તી ધર્મમાંથી નાસ્તિક ધર્મ અંગીકાર કર્યો છે. પરંતુ આ અહેવાલમાં પણ એવું કહેવામાં આવ્યું નથી કે ખ્રિસ્તી ધર્મ છોડનારા આ લોકોએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.
શું છે આ તસવીરોની સ્ટોરી ?
પહેલી તસવીરને સર્ચ કરતાં અમને તે "ઇસ્કોન ન્યૂઝ" નામની વેબસાઇટના એક લેખમાં મળી આવી હતી. 10 એપ્રિલ, 2015ના રોજ પ્રકાશિત થયેલા આ લેખમાં અમેરિકામાં ઇસ્કોન દ્વારા આયોજિત "સાધુ સંગ ફેસ્ટિવલ" નામના કાર્યક્રમની વાત કરવામાં આવી છે. આ ઇસ્કોનનો વાર્ષિક કીર્તન ઉત્સવ છે. જેમાં ઇસ્કોનના તમામ ગુરુઓ અને અનુયાયીઓ સામેલ છે.
અમને આ ફોટો ઇસ્કોન ગુરુ અને સન્યાસી સચ્ચિદાનંદન સ્વામીની વેબસાઇટ પર પણ મળી આવ્યાં છે. અહીં જણાવવામાં આવ્યું છે કે આ ફોટો 2014માં આવેલા 'સાધુ સંગ ફેસ્ટિવલ'નો છે. બીજું અને ત્રીજું ચિત્ર એક સરખું જ છે. અમને "ઇસ્કોન ન્યૂઝ" ની વેબસાઇટના લેખમાં પણ આ જાણવા મળ્યું છે. 9 સપ્ટેમ્બર, 2019ના રોજ પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું છે કે આ ફોટો રશિયાના જુગ્બા વિસ્તારમાં આયોજિત 'સાધુ સંગ ફેસ્ટિવલ'નો છે. લેખ મુજબ આ કાર્યક્રમમાં 5000થી વધુ ઈસ્કોન ભક્તોએ હાજરી આપી હતી. ત્યારે ધર્મ બદલવાની ખબર ખોટી હોવાનું ફેક્ટ ચેકમાં સાબિત થયું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું નિધન, ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો સામે આવ્યો | 2024-05-20 10:33:45
રાષ્ટ્રપતિ રાયસીના ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો, દુર્ઘટના સ્થળે કોઈ જીવિત હોવાના કોઈ સંકેત નથી | 2024-05-20 09:34:00
અમેરિકા-ઇઝરાયેલના વિરોધી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેસ, તેઓ સુરક્ષિત હોવાનો દાવો | 2024-05-19 22:07:05
અમેરિકાના ઇડાહોમાં બે વાહનોની એકબીજા સાથે ભયંકર ટક્કર, અકસ્માતમાં 6 લોકોનાં મોત | 2024-05-19 12:32:07
ઇન્ડોનેશિયામાં પૂરે મચાવી તબાહી, સુમાત્રા ટાપુમાં ઠંડો લાવા ઘાતક બન્યો, 37 લોકોનાં મોત થયા | 2024-05-13 08:55:05
બેડમાં રૂપિયા જ રૂપિયા...રૂ. 40 કરોડની રોકડ મળી, જૂતાના વેપારીની અપાર સંપત્તિ જોઈને આઈટી અધિકારીઓ ચોંકી ગયા | 2024-05-19 08:37:44
હરિયાણાઃ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 8 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-18 08:42:54
ભૂસ્તર અધિકારીઓની રેકી કરીને ખનન માફિયાઓને પહોંચાડવામાં આવતી હતી માહિતી, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post | 2024-05-17 09:34:08
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
Fact Check: કન્નોજમાં ભાજપને વોટ ન આપવા પર મતદારને ફટકાર્યો હોવાનો વીડિયો ખોટા દાવા સાથે થયો છે વાયરલ- Gujarat Post | 2024-05-15 08:49:09
Fact Check: RBI એ તમામ બેંકોને પાસબુક પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ નથી આપ્યો, સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે કેટલાક લોકો અફવા | 2024-05-14 10:00:01
Fact Check: રાહુલ ગાંધીએ બંધારણને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોનું સત્ય | 2024-05-11 09:39:59
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48