ભગવાન શિવની પૂજા બીલી વિના અધૂરી છે.પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ભોલેને ચઢાવવામાં આવતું આ પાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. જેને ખાવાથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો.બીલીના પાનમાં આવા ઘણા ગુણ જોવા મળે છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવે છે. ખાલી પેટે નિયમિત રીતે થોડા બીલીના પાનનું સેવન તમારા માટે ફાયદાકારક છે. બીલી એન્ટીઓકિસડન્ટો અને પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, રાઇબોફ્લેવિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, વિટામિન બી 1, બી 6, બી 12 જેવી ઘણી આવશ્યક વસ્તુઓ હોય છે.
બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં કરે છે મદદ
બીલીના પાંદડા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં મોટા પ્રમાણમાં રેચક ગુણ હોય છે, જે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવવામાં મદદરૂપ થાય છે. તેના કારણે બ્લડ શુગર કંટ્રોલ થાય છે.આયુર્વેદાચાર્યની સલાહ લઈને તેનું સેવન કરી શકાય છે.
કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે
કબજિયાતની સમસ્યા હોય તો બીલીના પાન ખાઓ. હળવા મીઠું અને મરી સાથે બીલીના પાંદડા ચાવવાથી કબજિયાતને દૂર કરી શકાય છે. તે આંતરડામાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે.
પાચક શક્તિ વધારો
બીલી પેટ સાફ કરવાનું કામ કરે છે. તેમાં રેચક ગુણધર્મો છે જે પાચક તંત્રને મજબૂત બનાવે છે. પાચનની તકલીફ હોય તો બીલી ફળ કે બીલીના પાન ખાઓ.
કેવી રીતે કરવું સેવન
ઉધરસમાં સવારે ખાલી પેટ પર બીલીના પાંદડા પી શકો છો. આ માટે તમારે બીલીના પાનને પાણીમાં ઉકાળીને પછી તેને ગાળીને પીવો. બીલીને સીધા ચાવીને પણ ખાઈ શકો છે. બીલીપત્રને મધમાં ભેળવીને પણ ખાઈ શકાય છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
આ કાળા બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે, તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઇએ | 2024-04-25 08:54:01
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33