Sat,27 April 2024,1:38 am
Print
header

અભિનેતા અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું નિધન, અક્ષયે કહ્યું આ પીડા અસહ્યં છે

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. તેમના માતા લાંબા સમયથી બીમાર હતા થોડા દિવસો પહેલા તેમને મુંબઈના પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

અક્ષય કુમારે ટ્વિટર પર આ દુખદ સમાચાર ચાહકો સાથે શેર કર્યાં છે. હોસ્પિટલમાં ગંભીર હાલતમાં માતાની સંભાળ રાખવા માટે અક્ષય કુમાર બે દિવસ પહેલા લંડનથી મુંબઈ પહોંચ્યો હતો. માતાની હાલત નાજુક હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર મુંબઈ પરત ફર્યો હતો.

અક્ષયે પોસ્ટમાં લખ્યું તે મારી જિંદગીનો મહત્વનો હિસ્સો હતી.આજે મને દર્દ થઇ રહ્યું છે, મારી માતા અરૂણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. તમારી દુઆઓનું સન્માન કરું છું, કારણ કે હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch