Sat,27 April 2024,1:09 am
Print
header

રખડતા ઢોરનો આતંક, વડોદરામાં ગાયની અડફેટે એક વ્યક્તિનું મોત- પત્નીનું હૈયાફાટ રૂદન– Gujarat Post

વડોદરા: શહેરમાં રખડતા ઢોરના આતંકથી અને મનપાની બેદરકારીથી એક વ્યક્તિનો જીવ ગયો છે. રખડતા ઢોરની અડફેટે વાહન ચાલકનું મોત થયું છે. સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પાસે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાન ચાલકને દોડતી ગાય  દેખાઈ ન હતી અને ગાયની અડફેટે આવવાથી 48 વર્ષીય જીગ્નેશ રાજપૂતનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, તાજેતરમાં જ પૂર્વનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રખડતાં ઢોરે અડફેટે લીધા હતા. પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં પણ રખડતાં ઢોર ઘુસ્યાં હતા. આવી ઘટનાઓને પગલે હવે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ટકોર કરી હતી કે, રખડતા ઢોર પર કાબૂ લાવો. છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા ઢોરને કારણે 158 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch