Mon,29 April 2024,8:17 am
Print
header

મોદી પહોંચ્યાં રામેશ્વર, જ્યાંથી થયું હતું રામસેતુનું નિર્માણ ત્યાં ભગવાન રામના નિશાનો પર કરી પૂજા અર્ચના- Gujarat Post

(Photo: ANI)

રામેશ્વરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તમિલનાડુના રામેશ્વરમમાં અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યાં હતા. તેમણે અહીં વહેલી સવારે પૂજા વિધિ કરી હતી.અરિચલ મુનાઈ એ જ સ્થાન છે જ્યાંથી લંકા સુધી રામ સેતુનું નિર્માણ શરૂ થયું હતું. આ પછી પીએમ મોદીએ રામેશ્વરમમાં કોડંદરામસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી.

કોડંદરામ નામનો અર્થ થાય છે ધનુષવાળા રામ. એવું માનવામાં આવે છે કે અહીં જ વિભીષણ ભગવાન રામને પ્રથમ વખત મળ્યાં હતા અને તેમની પાસેથી આશ્રય માંગ્યો હતો. આ સ્થાન પર ભગવાન રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુ પહોંચ્યાં હતા. ત્યાં તેમણે શનિવારે તિરુચિરાપલ્લીમાં શ્રીરંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. બપોરે તેમણે રામેશ્વરમમાં રોડ શો કર્યો હતો. આ પછી, વડાપ્રધાન રામેશ્વરમના અગ્નિતીર્થમ બીચ પર ગયા અને સમુદ્રમાં ડૂબકી લગાવી અને ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. પીએમ મોદીએ રામાયણના પાઠ અને ભજન સાંજે પણ ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા 11 દિવસની વિશેષ વિધિઓનું પાલન કરી રહ્યાં છે. આ અંતર્ગત તેઓ દેશભરમાં ભગવાન રામ સાથે જોડાયેલા મુખ્ય મંદિરોમાં જઈને પૂજા કરી રહ્યાં છે.  શનિવારે તેમણે તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિર અને રામેશ્વરના રામનાથસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી. એવું માનવામાં આવે છે કે આ બંને મંદિરો ભગવાન રામના જીવન સાથે જોડાયેલા છે. રામેશ્વરમના કિનારે આજે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી પૂજા પણ આ જ વિધિનો એક ભાગ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch