Sat,27 April 2024,1:05 am
Print
header

TMC MP અને અભિનેત્રી નુસરત જહાંનું લગ્નજીવન ભંગાણને આરે, અભિનેતા યશ દાસગુપ્તાને કરી રહી છે ડેટ !

કોલકાતાઃ TMC પાર્ટીની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ ગત વર્ષે બિઝનેસમેન નિખલ જૈન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનું લગ્ન જીવન બરાબર નથી લાગી રહ્યું. એવી ખબર છે કે હવે નુસરતના લગ્ન તૂટવાની કગાર પર છે.તે પોતાના પતિનું ઘર છોડીને પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ છે. નુસરત અને બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા ઘણાં નજીક આવી ગયા છે. બન્ને હાલમાં સાથે રાજસ્થાન રજાઓ ગાળવા ગયા હોવાની વાત સામે આવી છે. આ મુદ્દે યશ અને નુસરતના રિએક્શન સામે આવ્યાં છે. 

નુસરત અભિનેતા યશ દાસગુપ્તાને ડેટ કરી રહી છે બન્ને વચ્ચે અંતર ઘટી રહ્યું છે.જ્યારે નુસરતને આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે એ મારી પર્સનલ લાઈફ છે અને તેના વિશે વાત કરવા નથી માંગતી. નુસરતે આગળ વાત કરી કે એક એક્ટર હોવાના નાતે હું કામ પર વાત કરીશ. હું મારી જિંદગીમાં શું બની રહ્યું છે તેના વિશે વાત કરવા નથી માંગતી. વર્ષ 2019માં ટીએમસીના ટિકીટ પર ચૂંટણી લડીને જીત મેળવી હતી,બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.

નુસરતની સાથે રિલેશન પર યશે પોતાનું રિએક્શન આપતા કહ્યું કે તેમને ખબર નથી કે નુસરતની પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે. યશે કહ્યું કે રાજસ્થાનમાં ટ્રિપ પર કોઇપણ જઇ શકે છે પરંતુ નુસરતની પર્સનલ લાઇફની વાત છે તો તેમને જ પૂછવામાં આવે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch