(લતા મંગેશકરની અમરેલીના રાજુલાના મોરંગી ગામના મહેશભાઈ રાઠોડના પરિવાર સાથેની ફાઈલ તસવીર)
રાજુલા તાલુકાના મોરંગી ગામ સાથે છે લતા મંગેશકરનું કનેકશન
ગામમાં સાઈબાબાનું મંદિર બનાવવા મંગેશકરે આપ્યો હતો ફાળો
મહેશભાઈ રાઠોડને 2001થી લતા મંગેશકર બાંધતા હતા રાખડી
અમરેલીઃ ભારત રત્ન (bharat ratna) લતા મંગેશકરનું (lata mangeshkar death) રવિવારે સવારે 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન બાદ બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. પાકિસ્તાન અને નેપાળે પણ લતા દીદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લતા દીદીની સાથે પડછાયાની જેમ રહેતા અમરેલી જિલ્લાના રાજુલા (Rajula) તાલુકાના મોરંગી ગામના વતની મહેશભાઈ રાઠોડ છેલ્લા 27 વર્ષોથી લતા દીદીની સાથે રહેતા હતા. લતા દીદી મહેશભાઈ રાઠોડને દીકરા કરતા વિશેષ રાખતા હતા. દીદીને સાંઈબાબા પર અપાર શ્રદ્ધા હતી. મહેશ ભાઈ રાઠોડના વતનમાં જ્યારે સાઈબાબાનું મંદિર બનાવવાનું હતું ત્યારે લતા દીદીએ ફાળો આપ્યો હતો.
મહેશભાઈ રાઠોડને લતાજીના નિધનના સમાચાર તેમના નજીકના મિત્ર નિકુંજ પંડિત પાસેથી મળ્યાં હતા.આ સમાચાર સાંભળીને તેઓ પણ ભાંગી પડ્યા હતા. લતાજી તેમને 2001થી રાખડી બાંધતા હતા. તેમના પત્ની મનીષાએ કહ્યું, 2001માં દીદીએ અચાનક મહેશના કાકાને ફોન કર્યો અને તેમના નિવાસ સ્થાન પ્રભુકુંજ પહોંચવા કહ્યું. જ્યારે મારા પતિ પહોંચ્યા ત્યારે દીદી તેમની રાખડી બાંધવા માટે રાહ જોતા હતા.
લતાજીએ તેમની ત્રણ પુત્રી અને એક પુત્રના નામ પણ પાડ્યા હતા.જે તેમના માટે આજીવન સ્મૃતિ રહેશે. તેણે ગાયત્રી (19), રાજેશ્વરી (12), શ્રદ્ધા (10) અને 2015માં જન્મેલા પુત્ર ઋષિકેશનું નામકરણ કર્યું હતું. મનીષાએ કહ્યું, શ્રદ્ધાનો જન્મ સવારે 8 વાગ્યે થયો હતો, તેમની ગાયએ વાછરડીને જન્મ તેના 20 મિનીટ પછી આપ્યો હતો. લતા દીદીએ મારી દીકરીનું નામ શ્રદ્ધા અને વાછરડીનું નામ સબુરી રાખ્યું હતું.
પહેલા મહેશભાઈ રાઠોડ લતા દીદીના ડ્રાઇવર તરીકે રહ્યાં હતા.મહેશભાઈ રાઠોડ લતા દીદીના તમામ કામ કરતા કરતા તેઓ લતા દીદીના પીએ બની ગયા હતા. મહેશભાઈ રાઠોડને લતા દીદી પરિવારના એક સભ્યની જેમ રાખતા હતા.દીદીનો પડ્યો બોલ મહેશભાઈ ઝીલી લેતા. કોઈ પણ કામ હોય લતા દીદી મહેશભાઈને કહેતા હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
આ કાળા બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે, તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઇએ | 2024-04-25 08:54:01
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33