સમીર પટેલને પોલીસે પાઠવ્યું છે સમન્સ
એમોસ કંપનીનું લાયસન્સ રદ્ કરવામાં આવ્યું
અમદાવાદઃ બરવાળા-ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં એક સાથે 600 લીટર મિથાઇલ આલ્કોહોલ કેમીકલનો જથ્થો કંપનીના કર્મચારીએ જ ચોરી કરીને બુટલેગરોને આપ્યાંની થિયરી હવે શંકાના ઘેરાવામાં આવી છે. નશાબંધી અને આબકારી ખાતાના વિભાગના દરોડામાં કંપનીમાંથી આઠ હજાર લીટર જેટલો મોટો જથ્થો સીલ કરાયો હતો. આ એમોસ કંપની હવે સંપૂર્ણ રીતે શંકાના ઘેરાવામાં આવી ગઇ છે. અને આ કંપની પહેલાથી જ આ જથ્થો વેચી રહી હોવાની શક્યતા છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે એમોસ કંપની ચાંગોદરની ફિનાર કંપનીમાંથી બલ્કમાં કેમીકલનો જથ્થો મેળવીને તેને અઢી લીટરના પેકમાં વિવિધ લેબોરેટરી અને કંપનીઓમાં વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ, તપાસમાં ખોટા બિલ બનાવીને જથ્થો બારોબાર દારૂ બનવાવા માટે અગાઉ પણ સપ્લાય કરાયાનું કંપનીના કર્મચારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે. ફિનારમાંથી આવેલો જથ્થો અને બહાર મોકલવામાં આવતા સ્ટોકમાં પણ મોટો ફેર આવતો હોવાથી સમીર પટેલ દ્વારા કોઇ ચોક્કસ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની પોલીસની આશંકા મજબુત બની છે.
લઠ્ઠાંકાડમાં જવાબદાર કેમીકલ એમોસ કંપનીમાંથી આવ્યું હોવાનું ખુલ્યાં બાદ ઘટનાના બીજા જ દિવસે એમોસ કંપનીના પીપળજ ખાતે આવેલા ગોડાઉન અને પંચવટી ખાતે આવેલી કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ખાતે કેટલાંક શંકાસ્પદ ડોક્યુમેન્ટ ધરાવતી ફાઇલો અને કોમ્પ્યુટરના ડેટાને હટાવી દેવામાં આવ્યાંનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જેથી લઠ્ઠાંકાડની ઘટના બાદના સીસીટીવીને આધારે તપાસ કરવામાં આવી રહી છે.
સમીર પટેલને રાજકીય પીઠબળ આપનારા મંત્રીઓ અને નેતાઓએ પણ હાથ ઉંચા કરી લેતા હવે સમીર પટેલ પર કેમીકલ કાંડ ઉપરાંત ધંધામાં ગેરરીતિનો ગાળિયો મજબુત બન્યો છે. જેને આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. લઠ્ઠાંકાંડ બાદ સમીર પટેલને રાજકીય ઇશારે ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. નોંધનિય છે કે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 57 લોકોનાં મોત થઇ ગયા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
આ દ્રશ્યો જોઈને તમારું હૈયુ હચમચી જશો, બનાસકાંઠામાં પિતા પગમાં પડ્યાં છતાં દીકરી ટસની મસ ન થઈ અને... | 2023-06-03 17:55:11
રાજ્યમાં પાંચ દિવસ 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે પડી શકે છે વરસાદ | 2023-06-03 17:25:40
Balasore Train Accident: PM મોદીએ સ્થળની મુલાકાત લીધી, હવે ઘાયલોને મળવા હોસ્પિટલ જશે | 2023-06-03 16:49:18
આજે બાગેશ્વરધામના બાબા વડોદરામાં, લક્ઝુરિયસ લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં કરાયું ભવ્ય સ્વાગત | 2023-06-03 13:59:32
દારૂનો આવો પણ નશો.... દારૂ પીવા નહીં મળે તેવા ડરથી ઓપરેશન કરાયા વગર જ દર્દી ફરાર- gujaratpost | 2023-06-03 10:15:53
Balasore Train Accident: ગુજરાત ભાજપે કાર્યક્રમો કર્યા સ્થગિત, બચી ગયેલા મુસાફરે કહી રૂંવાડા ઉભી કરી દે તેવી વાત- Gujarat Post | 2023-06-03 10:08:22
અમેરિકન સંસદને સંબોધિત કરશે પીએમ મોદી, સ્પીકર કેવિન મેક્કાર્થીએ મોકલ્યું આમંત્રણ- Gujarat Post | 2023-06-03 10:11:03
ઓડિશામાં ત્રણ ટ્રેન અથડામણમાં અંદાજે 233 લોકોનાં મોત, 1000થી વધુ ઘાયલ | 2023-06-03 07:57:18
કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, અનેક લોકોનાં મોતની આશંકા, અનેક ઘાયલ | 2023-06-02 22:58:15
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને લીધું અડફેટે | 2023-06-01 14:44:06
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં, બે દિવસીય દરબારમાં આવશે હજારો ભક્તો- Gujarat Post | 2023-05-28 13:03:53