Gujaratpost Fact Check News: 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશની મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા મામલે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન આપ્યું છે.
અમને આ દાવાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો અને રાજકીય કુપ્રચાર છે. નીતિન ગડકરીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. આ બનાવટી અને નકલી નિવેદન તેમના નામે પ્રચાર ફેલાવવાના ઈરાદાથી શેર કરવામાં આવી રહ્યું છે.
16 જાન્યુઆરી, 2023 ના રોજ વાયરલ પોસ્ટ શેર કરતી વખતે, એક ફેસબુક યુઝરે કેપ્શનમાં લખ્યું, “જે રેલ્વે મંત્રીને લીલી ઝંડી બતાવવાની મંજૂરી નથી આપતું, જે હાઈવે મંત્રીને હાઈવેનું ઉદ્ઘઘાટન કરવા દેતું નથી, જે શંકરાચાર્યોને શાસ્ત્રો સાથે સુસંગત કામ કરવા દેતા નથી, તેનું નામ આપો.”
Fack Check:
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે, અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગુગલ પર સર્ચ કર્યું. અમે દાવા સંબંધિત કોઈપણ સમાચાર અહેવાલો શોધી શક્યા નથી. સર્ચ દરમિયાન મળેલા રિપોર્ટમાં નીતિન ગડકરીએ રામ મંદિર અને પીએમ મોદી વિશે સકારાત્મક વાતો કહી છે. અમને ક્યાંય એવો કોઈ રિપોર્ટ મળ્યો નથી જેમાં કહેવામાં આવ્યું હોય કે નીતિન ગડકરીએ પીએમ મોદી વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તપાસને આગળ વધારતા, અમે નીતિન ગડકરીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમને ત્યાં પણ દાવા સંબંધિત કોઈ પોસ્ટ મળી નથી. એટલે કે આ વાયરલ મેસેજ બોગસ છે. રામ મંદિરને લઈ નીતિન ગડકરી તો ઠીક ભાજપનો કોઈ કાર્યકર પણ આવું ન બોલી શકે. ત્યારે આવી પોસ્ટનો વિશ્વાસ કરવો નહીં અને તેને આગળ શેર પર ન કરવી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કામાં 13 બેઠકો પર મતદાન, અક્ષય, જ્હાન્વી, રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાએ કર્યું મતદાન | 2024-05-20 09:00:20
Swati Maliwal Case: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, ઘટના સમયના CCTV ફૂટેજ ગાયબ, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો | 2024-05-19 09:10:59
સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે, હાથ પકડીને CM આવાસમાંથી કાઢવામાં આવ્યાં હતા બહાર- Gujarat Post | 2024-05-18 12:33:06
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
બેડમાં રૂપિયા જ રૂપિયા...રૂ. 40 કરોડની રોકડ મળી, જૂતાના વેપારીની અપાર સંપત્તિ જોઈને આઈટી અધિકારીઓ ચોંકી ગયા | 2024-05-19 08:37:44
હરિયાણાઃ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 8 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-18 08:42:54
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
Fact Check: કન્નોજમાં ભાજપને વોટ ન આપવા પર મતદારને ફટકાર્યો હોવાનો વીડિયો ખોટા દાવા સાથે થયો છે વાયરલ- Gujarat Post | 2024-05-15 08:49:09
Fact Check: RBI એ તમામ બેંકોને પાસબુક પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ નથી આપ્યો, સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે કેટલાક લોકો અફવા | 2024-05-14 10:00:01
Fact Check: રાહુલ ગાંધીએ બંધારણને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોનું સત્ય | 2024-05-11 09:39:59
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48