Mon,20 May 2024,12:03 pm
Print
header

Fact Check News: 2024ની લોકસભા ચૂંટણીમાં BSP વોટના બદલામાં આપશે મફત મોબાઇલ રિચાર્જ, જાણો વાયરલ મેસેજની હકીકત- Gujarat Post

Fact Check News:
લખનઉઃ બહુજન સમાજવાદી પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીના નામે ફ્રી રિચાર્જ સ્કીમનો દાવો કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટ સાથે માયાવતીની તસવીર જોડાયેલી છે અને યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે માયાવતી અને તેમની પાર્ટી તમામ ભારતીય યુઝર્સને 28 દિવસનું 349 રૂપિયાનું ફ્રી મોબાઇલ રિચાર્જ આપી રહ્યાં છે, જેથી લોકો 2024ની ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીને મત આપી શકે.

Fact Check- શું છે વાયરલ પોસ્ટમાં ?

વાયરલ પોસ્ટ શેર કરતી વખતે, ફેસબુક યુઝરે લખ્યું, "BSP સુપ્રીમો માયાવતી તમામ ભારતીય વપરાશકર્તાઓને ₹349નું 28-દિવસનું ફ્રી રિચાર્જ આપી રહી છે જેથી કરીને વધુને વધુ લોકો 2024 લોકસભાની ચૂંટણીમાં BSPને મત આપી શકે અને BSPની સરકાર બની શકે. મેં આ સાથે મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ પણ કરાવ્યું છે, તમે પણ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ મેળવી શકો છો.

Fact Check- આ દાવો ખોટો છે, સોશિયલ મીડિયાના ન્યૂઝ સાચા નથી

અમારી પડતાલમાં વાયરલ પોસ્ટ અને તેની સાથેનો દાવો બંને નકલી છે. માયાવતી અથવા તેમના પક્ષ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેમાં તમામ ભારતીય વપરાશકર્તાઓને ફ્રી મોબાઇલ રિચાર્જનું વચન આપવામાં આવ્યું હોય. બીએસપીના સોશિયલ મીડિયા હેન્ડલ, માયાવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ક્યાંય પણ આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી નથી. જેથી જો તમને પણ આવી કોઈ લિંક મળી હોય તો તેના પર ક્લિક ન કરવા સલાહ આપવામાં આવે છે. આવા ખોટા સોશિયલ મીડિયા ન્યૂઝને તમે પોસ્ટ કે શેર ન કરતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch