Mon,29 April 2024,4:09 am
Print
header

ED એ AIADMK નેતા વિજયભાસ્કરના ઘરે પાડ્યાં દરોડા- Gujarat Post

(Photo Source: ANI)

ચેન્નાઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ગુરુવારે AIADMK નેતા અને તમિલનાડુના પૂર્વ મંત્રી સી.વિજયભાસ્કરના ઘર પર દરોડા પાડ્યાં હતા. મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આ દરોડા પાડવામાં આવ્યાં છે. ઈડીએ મની લોન્ડરિંગ સંબંધિત બે કેસમાં 25 સ્થળોએ કાર્યવાહી કરી છે.

વિજયભાસ્કર AIADMK સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે અને તમિલનાડુના પુડુકોટ્ટાઈના ધારાસભ્ય છે. વર્ષ 2022માં તમિલનાડુની વિજિલન્સ ટીમે અપ્રમાણસર સંપત્તિના કેસમાં વિજયભાસ્કરની તપાસ કરી હતી. વિજિલન્સ તપાસના આધારે EDએ AIADMK નેતા વિરુદ્ધ દરોડા પાડ્યાં હતા. આ પહેલા વર્ષ 2022માં પણ વિજયભાસ્કર વિરુદ્ધ ગુટખા કૌભાંડમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ED દ્વારા જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા, તેમાં રિયલ એસ્ટેટ ગ્રુપ GSquareના ચેન્નાઈના સ્થળોનો પણ સમાવેશ થાય છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch