Fri,26 April 2024,5:49 am
Print
header

આપને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, કિસાન સંગઠનના 200 કાર્યકરો કોંગ્રેસમાં સામેલ- Gujarat post

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.આપ પાર્ટીના કિસાન સંગઠનના 200 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. આ બાબતે કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે જણાવ્યું કે, આપના નેતાઓ દાવો કરે છે કે આ લોકોને સસ્પેન્ડ કર્યાં હતા, પરંતુ હકીકતમાં એક પણ હોદ્દેદારોને લેટર આપીને સસ્પેન્ડ નથી કર્યાં, માત્ર પોતાની ઓફિસની ફાઈલમાં ટાઇપ કરેલો લેટર મુકી રાખ્યો હતો. વિવિધ જિલ્લાના આપના કાર્યકરો AAPથી કંટાળી ગયા છે ,કેમ કે AAPની કોઈ વિચારધારા જ નથી. આગામી દિવસોમાં આપમાંથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાશે.

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષ પલટો કરી રહ્યાં છે.વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર પહેલા યોજાઇ શકે છે, સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે કે રાજ્યમાં ચૂંટણી વહેલી યોજવામાં આવી શકે છે.

આમ આદમી પાર્ટીએ દિલ્હી સિવાય પંજાબમાં શાનદાર જીત મેળવી છે.અન્ય રાજ્યોમાં લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ હાલમાં જ ઘણા નેતાઓ આપમાં જોડાયા છે. બીજી તરફ આપના કાર્યકર્તાઓ પણ પાર્ટી છોડી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch