Fri,26 April 2024,12:16 pm
Print
header

વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં, સાધુએ મહિલા સાથે શારિરીક સંબંધની માંગ કરી

મહિલા અને સ્વામી વચ્ચેનું રોમેન્ટિક ચેટિંગ વાઇરલ, અન્ય એક સ્વામી મહિલાના કપડામાં દેખાયા 

વડતાળઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાળનું પ્રસિદ્ધ મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે, અહીનો એક સાધુ મહિલા સાથે શારિરીક સંબંધો બનાવવાની માંગ કરતો હતો, ભક્તિ કિશોર સ્વામી સાધુના મોબાઇલ  ચેટિંગના સ્ક્રીનશોર્ટસ વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. તેને એક મહિલા સાથે વારંવાર શારિરીક સંબંધો બાંધવાની માંગ કરી હતી, મહિલા અને સ્વામી વચ્ચે ઘણા ફોટોની પણ આપ-લે થઇ છે, આ પુરાવા વાઇરલ થયા પછી મંદિર સામે ફરીથી સવાલ ઉભા થયા છે, કારણ કે પહેલા પણ આ મંદિરના સ્વામીઓ દ્વારા આ પ્રકારના નિમ્ન કામ કરાયા હતા અને હવે ફરીથી અહીં આવા ગોરખધંધા શરૂ થઇ ગયા છે.

બીજી તરફ મંદિરના અન્ય એક સ્વામી મહિલાના કપડામાં દેખાઇ રહ્યાં છે, તેના પરથી સ્પષ્ટ છે કે મંદિરમાં ગોરખધંધા ચાલી રહ્યાં છે. આ સ્વામીનું નામ ત્યાગ વલ્લભ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બંને સ્વમીઓની લીલા પછી તેમની સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

નોંધનિય છે કે હાલમાં ઇડરના પાવાપુરી જૈન મંદિરના બે સાધુઓ સામે 2 પોલીસ ફરિયાદ થઇ છે, ત્રણ જેટલી મહિલાઓએ સાધુઓ પર વ્યભિચારનો આરોપ લગાવ્યો છે. જેના પુરાવા પણ પોલીસને આપ્યાં છે, વીડિયોમાં સ્પષ્ટ મહિલાનું શારિરીક શોષણ થઇ રહ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. જે મામલે ઇડરમાં સાધુઓ સામે રોષ વ્યાપી ગયો છે.ત્યારે હાલમાં તો વડતાલ અને પાવાપુરી બંને જગ્યાએ ભક્તોમાં ભારે રોષ છે અને આ તમામ નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ થઇ રહી છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch