Thu,12 June 2025,5:45 pm
Print
header

વડોદરામાં બે જૂથો વચ્ચે અથડામણ, રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરાતા પહોંચી પોલીસ

  • Published By
  • 2023-03-30 14:46:06
  • /

વડોદરાઃ દેશભરમાં ભક્તો રામનવમીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરામાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ છે. ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે કેટલાક લોકોએ યાત્રા પર પથ્થરમારો કર્યો છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. 

વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે સમયે ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. કેટલાક લોકોએ મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરી હતી પણ મૂર્તિને બચાવી લેવામાં આવી હતી. વાતાવરણ તંગ બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલમાં સ્થિતી પર કાબૂ મેળવી લેવાયો છે, જનતાને પણ શાંતિ રાખવા અપીલ કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch