જમ્મુ-કાશ્મીરઃ શનિવારે સુરનકોટ વિસ્તારમાં એરફોર્સના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ચાર આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે, જેમણે આ હુમલો કર્યો હતો. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ અબુ હમઝા હોવાનું કહેવાય છે, જે સરહદી જિલ્લા રાજૌરી-પૂંછમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો છે.
જો કે, હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સુરક્ષા દળો 20 કિલોમીટરના વિસ્તારને ઘેરીને આતંકીઓને શોધી રહ્યાં છે. સર્ચ ઓપરેશનમાં હેલિકોપ્ટર, ડ્રોન, ડોગ સ્ક્વોડ અને પેરા કમાન્ડોનો ઉપયોગ થઇ રહ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે AK એસોલ્ટ રાઈફલ્સ ઉપરાંત, આતંકવાદીઓએ વધારે જાનહાનિ કરવા માટે યુએસ નિર્મિત M4 કાર્બાઈન્સ અને સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ભાગીને જંગલમાં છુપાઈ ગયા છે, જમ્મુ KIGP આનંદ જૈન અને સેના અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓને મારવા માટે શાહસિતાર, ગુરસાઈ, સનાઈ અને શેન્દરા ટોપ સહિત ઘણા વિસ્તારોમાં સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. પુંછના સરહદી જિલ્લા તેમજ નજીકના રાજૌરીમાં છેલ્લા બે વર્ષમાં આ મોટો આતંકવાદી હુમલો છે. જેમાં એક સૈનિક શહીદ થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.
#WATCH | J&K: Visuals of security checking by Indian Army personnel in the Shahsitar area in Poonch district.
— ANI (@ANI) May 6, 2024
An Indian Air Force vehicle convoy was attacked by terrorists in the Poonch district on May 4. pic.twitter.com/e2FusFdhqL
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33
મુંબઈ, પુણેમાં આફતનો વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ- Gujarat Post | 2024-07-25 11:02:49