Fri,26 April 2024,8:58 am
Print
header

UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post

ઉત્તર પ્રદેશઃ પીલીભીત જિલ્લામાં સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થઇ ગયા છે, 7 અન્ય લોકો ઘાયલ થયા છે. ગજરૌલા પોલીસ સ્ટેશનના પુરનપુર હાઇવે પર પીકઅપ વાહન ઝાડ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને જોકું આવી જતા આ અકસ્માત થયો હોવાનો અંદાજ છે.સ્થાનિક પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે, ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, માર્ગ અકસ્માતની માહિતી મળ્યાં બાદ ડીએમ એસપી અને અન્ય વહીવટી કર્મચારીઓ સાથે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યાં હતા.

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ લોકો લખીમપુર જિલ્લાના ગોલા શહેરના રહેવાસી છે. હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહેલા 17 શ્રદ્ધાળુઓથી ભરેલી પીકઅપ બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે પીલીભીતના મૃતકોના પરવારો સાથે મારી સંવેદના છે, જિલ્લા વહીવટી અધિકારીઓ દ્નારા ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch