Sun,05 May 2024,5:55 pm
Print
header

સુરતમાં બે કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત થઇ ગયા

સુરતમાં બે કાર વચ્ચે અકસ્માત

કારમાં સવાર 3 વ્યક્તિઓનાં મોત થઇ ગયા

સુરતઃ સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓનાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના બાદ સ્થાનિકોને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યાં હતા, પોલીસે ઘાયલ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે  ખસેડ્યાં હતા,ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે 3 લોકોના મોત થતા હોવાનું જણાવ્યું હતું, હાલ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા ખડસદ રોડ પર અર્ટીગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાઇ

કારના પતરાને કાપીને તેમાં સવાર લોકોને બહાર કઢાયા

સરથાણા ખડસદ રોડ પર અર્ટીગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે  કારના પતરાને કાપીને તેમાં સવાર લોકોને બહાર કઢાયા હતા. અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યાં હતાં. લોકોના ટોળે ટોળાં એકઠાં થઇ ગયા હતા. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જેમાંથી 3 લોકોનાં મોત થયા છે. અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch