કોંગ્રેસીઓએ અનેક વખત મને નીચ અને મોતનો સોદાગર કહ્યોઃ મોદી
સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે રાજ્યમાં પ્રચંડ પ્રચારનો ત્રીજો દિવસ છે. પ્રથમ દિવસે વલસાડ અને બીજા દિવસે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધ્યા બાદ આજે સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતુ. મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
Live: સુરેન્દ્રનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું વિજય સંકલ્પ સંમેલન | #કમળ_સાથે_સમૃદ્ધ_ગુજરાત https://t.co/G1uOPah4OJ
— BJP Gujarat (@BJP4Gujarat) November 21, 2022
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઝાલાવાડની ધરતી પર વિજય સંમેલનમાં તમારું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગરનાં 5 ઉમેદવારો જીતવાનાં છે. એક સમયે સુરેન્દ્રનગર સુકો પ્રદેશ હતો, આ વિસ્તારોની બહુ ખરાબ સ્થિતિ હતી, અહીં બે દાયકાથી વિકાસ થયો છે,ઝાલાવાડ પંથકમાં નર્મદાનાં પાણીથી જિલ્લાનો વિકાસ થયો છે.
PM મોદીએ કહ્યું, સંતોએ મને હેલીપેડ પર આવીને આશીર્વાદ આપ્યાં. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામનાઓ આપી છે. આ સંતોના આશીર્વાદ ક્યારેય એળે ન જાય.ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યાં છે. આજે જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં કેસરિયા સાગર દેખાય છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગરમાં વારંવાર આવતો હતો.સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગરને મળ્યો છે. જે બાદ તેમણે નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, જેમને પદ પરથી હટાવ્યાં તેઓ આજે યાત્રા કરી રહ્યાં છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી યાદ રહેવી જોઇએ, મેઘા પાટકરના ખબા પર હાથ મુકીને રાહુલ ચાલી રહ્યાં હતા, તે મામલે મોદીએ તેમની ઝાટકણી કાઢી છે.
સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો
હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. તેનાથી લાખો લોકોને રોજગાર મળે છે. આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે. પહેલાના સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે બીજા રાજ્યમાં જવું પડતું હતું આજે બીજા રાજ્યના લોકો આપણા ગુજરાતની ધરતી પર અભ્યાસ કરવા આવે છે. તમે મને નીચ, મોતનો સોદાગર કહ્યો, વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પ્રસંગમાંથી પરત આવતાં પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 9 લોકોનાં મોત, 23 ઘાયલ- Gujarat Post | 2024-04-29 08:25:23
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
Breaking News- અંદાજે રૂ.600 કરોડનું 90 કિલો ડ્રગ્સ ગુજરાતના દરિયામાંથી ઝડપાયું, આટલા પાકિસ્તાનીઓની ધરપકડ | 2024-04-28 16:10:38
ATS-NCB ના દરોડામાં નવું અપડેટ, આટલા કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત | 2024-04-28 12:39:48
રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વડોદરા પહોંચ્યો, પાદરામાં જશુભાઈ રાઠવાને ક્ષત્રિયોએ ગામમાં પણ ન ઘૂસવા દીધા | 2024-04-28 12:24:30
Gujarat Weather: આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા ! કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત | 2024-04-28 08:34:00
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
ચપટી વગાડતા યુદ્ધ રોકાવનારાઓ ચપટી વગાડીને મોંઘવારી ઘટાડેઃ ધરમપુરમાં પ્રિયંકા ગાંધીનો કટાક્ષ | 2024-04-27 14:50:47
જામકંડોરણાનો એક-એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયારઃ અમિત શાહ | 2024-04-27 14:47:00
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35