નવી દિલ્હીઃ 75માં ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેમાંથી 5 ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી વૈજયંતિમાલા, પ્રખ્યાત નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ, દક્ષિણના ફિલ્મ કલાકારો ચિરંજીવી અને બિંદેશ્વર પાઠક (મરણોત્તર)ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી, ઉષા ઉથુપ, ફાતિમા બીબી (મરણોત્તર), ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકને પદ્મ ભૂષણની જાહેરાત કરવામાં આવશે.
પદ્મ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેમણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને વિવિધ ક્ષેત્રોમાં વિશેષ કાર્ય કર્યું હોય.
આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે પદ્મ એવોર્ડનો ઈતિહાસ શું છે ? કયા લોકોને તે મળે છે ? નોમિનેશન કેવી રીતે કરવામાં આવે છે ? પદ્મ પુરસ્કારથી સન્માનિત થવા પર તેમને શું મળે છે ?
પદ્મ પુરસ્કારોનો ઇતિહાસ શું છે ?
- પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954 થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે આની જાહેરાત કરવામાં આવે છે.
કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર અને વિશેષ કાર્ય કરનારને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
padmaawards.gov.in પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર 1954થી ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કારો આપી રહી છે. પદ્મ વિભૂષણમાં ત્રણ શ્રેણીઓ હતી – પ્રથમ શ્રેણી, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી.
- આ વર્ગોના નામ પાછળથી બદલવામાં આવ્યાં. 8 જાન્યુઆરી 1955ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેના પછી આ કેટેગરીઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી નામ આપવામાં આવ્યું હતું.
આ સન્માન કોને મળે છે ?
- આ પુરસ્કારો કલા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, દવા, સમાજ સેવા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, જાહેર કાર્ય, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ અથવા સેવાઓ માટે આપવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.
1. પદ્મ વિભૂષણ: અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે.
2. પદ્મ ભૂષણ: ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા માટે.
3. પદ્મશ્રી: વિશિષ્ટ સેવા માટે.
પદ્મ પુરસ્કારથી સન્માનિત હસ્તીઓને શું મળે છે ?
દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન, પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિની સહી અને સીલ ધરાવતું પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે.
- એવોર્ડથી સન્માનિત સેલિબ્રિટીઓને તેમના મેડલની પ્રતિકૃતિ પણ આપવામાં આવે છે, જેને તેઓ કોઈપણ ફંકશનમાં પહેરી શકે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યાં અનુસાર આ એવોર્ડ કોઈ ટાઈટલ નથી. તેથી તેનો ઉપયોગ વિજેતાઓના નામ પહેલા કે પછી કરી શકાતો નથી. જો આવું થાય તો ઇનામ પાછું ખેંચી લેવામાં આવી શકે છે.
- આ પુરસ્કારોની સાથે વિજેતાઓને કોઈ રોકડ પુરસ્કાર, ભથ્થું અથવા રેલ-હવાઈ મુસાફરીમાં ડિસ્કાઉન્ટ જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી.
આ ગુજરાતીઓને પણ સન્માન મળ્યું
- પત્રકારત્વ ક્ષેત્રે જન્મભૂમિ ગ્રુપના કુંદન વ્યાસને પદ્મ ભૂષણ સન્માન
- તબીબી ક્ષેત્રે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પટેલને પદ્મ ભૂષણ પુરસ્કાર
- તબીબી ક્ષેત્રે ડૉ.યઝદી માણેકશા ઈટાલિયાનું પદ્મશ્રીથી સન્માન
- જાણીતા આયુર્વેદાચાર્ય દયાળ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી
- શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરીને પદ્મશ્રી
- હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે પદ્મશ્રી
- સાહિત્યકાર હરીશ નાયકને મરણોપરાંત પદ્મ શ્રી પુરસ્કાર
- ફ્રાન્સમાં વસતા મૂળ ગુજરાતી કિરણ વ્યાસને યોગમાં તેમના પ્રદાન માટે પદ્મશ્રી
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
છત્તીસગઢમાં ફેમિલી ફંકશનમાંથી પરત આવતાં ફેમિલીને કાળ ભરખી ગયો, 9 લોકોના મોત, 23 ઘાયલ – Gujarat Post | 2024-04-29 08:25:23
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
Breaking News- અંદાજે રૂ.600 કરોડનું 90 કિલો ડ્રગ્સ ગુજરાતના દરિયામાંથી ઝડપાયું, આટલા પાકિસ્તાનીઓની ધરપકડ | 2024-04-28 16:10:38
ATS-NCB ના દરોડામાં નવું અપડેટ, આટલા કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત | 2024-04-28 12:39:48
મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની મુંબઈ એસઆઈટીએ છત્તીસગઢથી ધરપકડ કરી | 2024-04-28 12:18:58
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચીનમાં આવ્યો ભયંકર તોફાની ટોર્નેડો, અનેક ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત | 2024-04-28 08:53:22
ગાંધીનગર નજીક આ ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, ખેતરમાં એક ઘરમાં દરોડા | 2024-04-27 17:52:35