Fri,26 April 2024,8:20 pm
Print
header

પોરબંદર-સોમનાથ હાઇવે પર કાર પલટી જતાં ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યાં, એક જ પરિવારના ત્રણનાં મોત

મૃતક યુવાનો ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામના રહેવાસી 

પોરબંદરઃ પોરબંદર-સોમનાથ હાઇવે પર આજે ગમખ્‍વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત થઇ ગયા છે. અન્ય બે શખ્સોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યાં હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયાના ખજૂરિયા ગામે રહેતો મયૂર ચંદ્રાવાડિયા નામનો યુવાન શીલ નજીક આવેલા લોએજ ગામની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી તેનું સર્ટિફિકેટ લેવા માટે આ પાંચેય યુવાન આજે વહેલી સવારે ઘરેથી લોએજ જવા નીકળ્યાં હતા.તે સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર નજીક કાર પલટી મારતા ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત થયો હતો. અકસ્‍માતમાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુ  ચંદ્રાવાડિયા નામના ત્રણ યુવાનોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં સવાર અન્‍ય રાજુ ચંદ્રાવાડિયા અને વજશી નંદાણિયાને ઇજાઓ પહોંચી હતી.

આ ઘટનાની જાણ થતાં નરવાઇ માતાજી મંદિર નજીક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડીને ઇજાગ્રસ્તોની મદદ કરી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, જેમાં રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો છે. ખજૂરિયા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. યુવાન પુત્રોના એેકસાથે અકાળે થયેલાં મૃત્‍યુને પગલે ચંદ્રાવાડિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch