Sat,27 April 2024,9:54 am
Print
header

ભાજપના હવે ગુંડાગીરી પર ! ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને કરી નાખ્યાં લોહીલુહાણ- Gujaratpost

સુરતઃ સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા મનોજ સોરઠીયા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે. માથામાં ટાંકા લેવામાં આવ્યા છે. તેમનું માથું લોહી લુહાણ થઇ ગયું હતુ, આમ આદમી ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે, જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા પર ધ્યાન આપવામાંં આવે.

નોંધનિય છે કે મનોજ સોરઠિયા ગણેશ ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા પાર્ટી હેડક્વાર્ટર નજીક ગણેશ પંડાલ પર પહોંચ્યાં હતા, ત્યારે કારમાં આવેલા શખ્સોએ લાકડી અને પાઈપથી આ હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત મનોજ સોરઠીયાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સોરઠિયા પર હુમલાના કેસમાં કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપીઓ સામે કલમ 323,324, 143,147,148, 294 ખ, 304,506 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

1 દિનેશ દેસાઈ

2 ભરત ઘેલાની

3 કાંતિ સાનગઠિયા

4 ભાવેશ ઘેલાણી

5 કિશન દેસાઈ

6 કલ્પેશ દેવાણી

7 મહેશ સાકરીયા

8 મહેન્દ્ર દેસાઈ 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch