Fri,26 April 2024,6:19 am
Print
header

અંધશ્રદ્ધાની આડમાં માતાએ 8 માસના પુત્ર સાથે એવું કર્યું કે...આ વાંચીને તમારૂં હદય કંપી ઉઠશે

મધ્યપ્રદેશઃ એક માતાએ પોતાના માસૂમ 8 માસના પુત્રની હત્યા કરી નાખી હોવાની સનસનીખેજ ઘટના સામે આવતા ચકચાર મચી છે. ચુરારી ગામમાં એક નિર્દય માતાએ પોતાના 8 માસના ફૂલ જેવા બાળક યશરાજને રસ્તા પર સુવડાવ્યો હતો બાદમાં તિક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું અને તેને ચાદરમાં લપેટીને હોસ્પિટલ લઇ ગઇ હતી, જ્યારે તેને ગળું કાપી નાખ્યું હતુ ત્યારે તે બોલી હતી કે જેનો હતો તેનો બકરો કાપી નાખ્યો હતો. તેને અંધશ્રદ્ધામાં આ કામ કર્યું છે.

રશ્મિ નામની આ નિર્દય માતાએ પોતાના હાથે જ કુહાડીથી પોતાના બાળકની હત્યા કરી નાખી છે તેને કોઇ અંધશ્રદ્ધાંને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રશ્મિ અને તેનો પતિ લક્ષ્મણ કોઇ સંતથી પ્રભાવિત હતા અને સતત તેમના ભાષણો સાંભળતા હતા. જેને લઇને જ તેને પોતાના પુત્રની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલમાં આ મામલે તપાસ શરૂ કરી છે, બીજી તરફ ગ્રામજનોમાં આ ઘટના બાદ રોષ વ્યાપી ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch