Sat,27 July 2024,3:25 pm
Print
header

આ સંતો તો પાપી છે...વડતાલના સંતે સગીરાને ગીફ્ટ આપવાની વાત કરીને કર્યું દુષ્કર્મ, ત્રણ સંતો ન્યૂડ વીડિયો કોલ પણ કરાવતા હતા

ખેડાઃ વડતાલ સ્વામી નારાયણ મંદિરના સંત જગત પાવન સ્વામી સહિત ત્રણ સંતો સામે પોલીસ ફરિયાદ થઇ છે, તે મુજબ 2016 માં સગીરાને ગીફ્ટ આપવા બોલાવીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. સાથે જ સગીરાએ કહ્યું છે કે વ્હોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વીડિયો કોલ પણ કરાવ્યાં હતા અને તેની સાથે ન કરવાનું કર્યું હતુ.

બનાવ વખતે સગીરાની ઉંમર 14 વર્ષ હતી અને હવે પીડિતાએ ડરતા ડરતા જણાવ્યું કે 2016માં વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તેના પિતા સાથે દર્શન કરવા ગયા હતા, ત્યારે સ્વામીએ તેનો નંબર લીધો હતો, પરંતુ પીડિતાને સ્વામીના ઇરાદા ખબર ન હતા. તે આ સ્વામી સાથે સામાન્ય વાત કરતી હતી, એક દિવસ હાથ ઘડિયાળ આપવાના બહાને તેને મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને અહીં તેની સાથે બળાત્કાર કરાયો હતો.

સ્વામીએ ધમકી આપી હતી કે આ વાત જો કોઇને કહીશ તો તારા પરિવારને મરાવી નાખીશ, જેથી ડરી ગયેલી પીડિતાએ આ વાત કોઇને કહી ન હતી. બાદમાં વીડિયો કોલ કરીને બિભત્સ હરકતો કરવા દબાણ કરતા હતા, આ કેસમાં પીડિતાએ એચ.પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે. પી. સ્વામી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે, કારણ કે આ ત્રણેય સ્વામીએ તેની સાથે ન કરવાનું કર્યું છે.

પીડિતાએ માંગ કરી છે કે જગત પાવન સ્વામી પાસે તેના ન્યૂઝ ફોટો અને વીડિયો છે જે ડિલિટ કરાવવામાં આવે, પોલીસે હાલમાં ગુનો નોંધીને ત્રણેય સામે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે આવા સંતોને કારણે આખો સ્વામીનારાયણ સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch