Sat,27 July 2024,11:26 am
Print
header

ગોંડલઃ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ સામે પોલીસ ફરિયાદ, દલિત યુવકનું અપહરણ કરીને માર માર્યાનો આરોપ

ગોંડલઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ સામે જૂનાગઢ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કુલ 10 લોકો સામે પોલીસે ફરિયાદ કરી છે, આ તમામ લોકો સામે એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાંનો કેસ થયો છે.

દલિત યુવકને માર મારીને તેનું અપહરણ કરવાનો ગુનો દાખલ થયા પછી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદ મુજબ સંજય રાજુભાઈ સોલંકી કોરિયોગ્રાફરનું કામ કરે છે અને તે પોતાના પુત્ર સાથે બાઇક પર જતો હતો ત્યારે એક કાર ઝડપથી જતી હતી અને તેની સાથે અચાનક બબાલ કરી હતી. બાદમાં સંજય ઘરે પહોંચ્યો ત્યારે અહીં બે કાર આવી હતી અને તેમાંથી ગણેશ સહિતના લોકો ઉતર્યાં હતા અને તેમને ધમકી આપી હતી.બાદમાં સંજયના પિતાના કહેવાથી સમાધાન કરાયું હતુ.

જો કે બાદમાં ફરીથી આ લોકો પાછા આવ્યાં હતા અને સંજયની બાઇકને ટક્કર મારીને તેને નીચે પાડ્યો હતો અને તેનું કારમાં અપહરણ કરીને માર મરાયો હતો. તેને કારમાં ગોંડલ લઇ જઇને કપડા ઉતારીને ફરીથી માર મરાયો હતો, તેનો વીડિયો ઉતારીને માફી મંગાવી હતી. બાદમાં તેને જૂનાગઢમાં ઉતારી દેવામાં આવ્યો હતો.

નોંધનિય છે કે સંજય સોલંકી જૂનાગઢ NSUI શહેર પ્રમુખ છે. હવે આ કેસમાં એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch