Fri,26 April 2024,9:00 am
Print
header

પાટીદાર સમાજનું ગૌરવ, નરસિંહપુરના મીત પટેલે ધોરણ-10માં મેળવ્યાં 99.99 પર્સેન્ટાઇલ

વાંકાનેર, કપડવંજઃ રાજ્યમાં ધોરણ-10 નું પરિણામ જાહેર થયું છે, ગુજરાત બોર્ડે 64.62 ટકા પરિણામ જાહેર કર્યું છે, સૌથી ઉંચુ રિઝલ્ટ બનાસકાંઠાના કુંભારિયાનું 95.92 અને સૌથી નીચુ પરિણામ દાહોદનું છે.રાજ્યમાં પ્રથમ ટોપ-5 માં આવેલા મીત શૈલેશભાઇ પટેલે 96.83% અને 99.99 પીઆર મેળવ્યાં છે, મીત વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને પહેલાથી જ અભ્યાસમાં હોશિયાર હતો.

પરિવારમાં અને ગામમાં આનંદનો માહોલ

ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

મીતના પિતા શૈલેશભાઇ કાન્તીભાઇ પટેલ ખેડાના કપડવંજ તાલુકાના નરસિંહપુરના વતની છે અને તેઓ વાંકાનેર કોર્ટમાં જજ પણ છે. મીતે ગણિત અને સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યાં છે. મીતના રિઝલ્ટ પછી પરિવારમાં અને નરસિંહપુર ગામમાં આનંદનો માહોલ છે, પાટીદાર સમાજના દિકરાએ ગુજરાતમાં ફસ્ટ નંબર મેળવીને ગર્વ અપાવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch