Fri,19 April 2024,11:21 pm
Print
header

ગોંડલમાં નદીમાં ન્હાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

રાજકોટઃ ગોંડલના વાસાવડ ગામની વાસાવડી નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઈ ભાઈઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.બંન્ને તરુણોના અચાનક મોતથી પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ગોંડલના વાસાવડ ગામના રહેવાસી યાસીન મજીદ બાવનકા (ઉં.વ 15) અને મોહીન રજાક કારવા (ઉં.વ 11) ગઈકાલે વાસાવડી નદીમાં ન્હાવા માટે ગયા હતા. મોહીન રજાકભાઇ કારવા નવાગઢથી વાસાવડ તેના મામાના ઘરે વેકેશન કરવા માટે આવ્યો હતો. લાંબા સમય સુધી બંને તરુણો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ કરતા યાસીન અને મોહીન નદીમાં ડૂબ્યા હોવાની જાણ થતાં પરિવારજનો વાસાવડી નદીના કિનારે પહોંચ્યા હતા, આ અંગેની જાણ પોલીસને કરતા કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. સાંજથી ગુમ થયેલા બંને પિતરાઈ ભાઈઓના મૃતદેહ સવારે નદીમાંથી મળતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાલ પોલીસે બંને મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch