નવી દિલ્હીઃ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે 20 હજાર કરોડ રૂપિયાના એફપીઓ પાછા ખેંચી લીધા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મોટું નિવેદન આપ્યું છે. કહ્યું મારા માટે, મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. તેથી સંભવિત નુકસાનથી રોકાણકારોને બચાવવા માટે અમે એફપીઓ પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયની અમારી હાલની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર નહીં પડે. સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયેલા એફપીઓ બાદ તેને પાછો ખેંચવાના નિર્ણયથી અનેત તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. પરંતુ બજારમાં આજની વોલેટિલિટીને જોતાં કંપની બોર્ડને લાગ્યું હતું કે, એફપીઓ સાથે આગળ વધવું યોગ્ય રહેશે નહીં.
એકવાર બજાર સ્થિર થયા પછી અમે અમારી મૂડી અને બજારની વ્યૂહરચનાની સમીક્ષા કરીશું. અમારી કંપનીઓમાં ઘણી આંતરરાષ્ટ્રીય ભાગીદારી કંપનીઓ પણ છે.
અદાણીએ કહ્યું કે એક ઉદ્યોગસાહસિક તરીકેની મારી 4 દાયકાથી વધુની સફરમાં, હું તમામ હિસ્સેદારો, ખાસ કરીને રોકાણકાર સમૂદાય તરફથી જબરદસ્ત સમર્થન મેળવવા ભાગ્યશાળી રહ્યો છું. મારા માટે એ સ્વીકારવું જરૂરી છે કે મેં જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે તે શ્રદ્ધા અને વિશ્વાસને કારણે છે. હું મારી બધી સફળતાનો ઋણી છું. મારા માટે મારા રોકાણકારો સર્વોપરી છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે એફપીઓ પાછો ખેંચી લીધો છે. "આ પહેલા કંપનીએ એક નિવેદનમાં જાણકારી આપી હતી કે, "બજારમાં વધ-ઘટને ધ્યાનમાં રાખીને તેણે ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) પાછી ખેંચી લીધો છે અને રોકાણકારોને પૈસા પરત કરશે.
નોંધનિય છે કે હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટને કારણે અદાણીની કંપનીઓને શેરમાં 30 ટકા સુધીનો મોટો ઘટાડો આવ્યો છે, માર્કેટમાં હાહાકાર મચી ગયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52