આપણા દેશમાં લોકો વર્ષોથી કિસમિસ ખાવાનું પસંદ કરે છે. પછી તે કોઈ તહેવાર હોય કે અન્ય કોઈ શુભ પ્રસંગ. કિસમિસ ખીર-હલવા વાનગીનો આવશ્યક ભાગ છે.તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને આયર્ન જેવા પોષક તત્વો પણ હોય છે. તમે કિસમિસને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરો તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
શરીરને કિસમિસના ફાયદા
હાડકાં બને છે મજબૂત
કિસમિસમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ કારણે પલાળેલી કિસમિસ ખાવાથી શરીરના હાડકાં મજબૂત બને છે. આ સાથે હાડકાંમાં દુખાવો થવાની સમસ્યા પણ દૂર થાય છે.
મજબૂત રોગપ્રતિકારક શક્તિ
કિસમિસમાં ઘણા પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જો તમે રોજ પલાળેલી કિસમિસ ખાઓ તો તમારું શરીર રોગોથી સુરક્ષિત રહે છે.
વધુ લોહી ઉત્પન્ન થવા લાગે છે
કિસમિસમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સવારે પલાળેલી કિસમિસ ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર વધે છે અને એનિમિયા દૂર થાય છે. દરરોજ પલાળેલી કિસમિસ ખાવાથી એનિમિયા મટે છે.
પેટ સાફ રહે છે
જે લોકોને કબજિયાત અને ગેસ-એસીડીટીની સમસ્યા હોય તેમણે દરરોજ સવારે પલાળેલી કિસમિસ (સૂકી દ્રાક્ષ) ખાવી જોઈએ. તેમાં રહેલ ફાઈબરની મોટી માત્રા પાચનક્રિયા સુધારવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
કોળાના બીજમાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો, જાણો તેનું સેવન કરવાથી તમને શું ફાયદો થશે ? | 2024-05-06 08:44:43
લાલ મૂળા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે, શરીરમાં પાણીની કમી નથી રહેતી, જાણો તેના 7 મોટા ફાયદા | 2024-05-05 09:22:40
રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચનક્રિયા સુધારવા સુધી, જાણો સીતાફળ ખાવાના આ 4 જબરદસ્ત ફાયદા | 2024-05-04 08:49:28
મૂળથી લઈને પાંદડા સુધી, ગિલોય છોડ આ સમસ્યાઓમાં છે અસરકારક, જાણો ઉપયોગની રીત | 2024-05-03 08:19:19
આ બીમારીઓમાં ડ્રેગન ફ્રૂટ ચોક્કસ ખાઓ, જાણો કયા સમયે ખાવાથી મળશે સ્વાસ્થ્ય લાભ ? | 2024-05-02 09:07:12