Fri,26 April 2024,5:09 pm
Print
header

ભાગેડું મેહુલ ચોકસીને આ દેશની સરકારે આપી મોટી રાહત, જાણો પ્રવકતાએ શું કહ્યું ? Gujaratpost

મેહુલ ચોક્સીને 51 દિવસ બાદ ડોમિનિકાની હાઈકોર્ટે જામીન આપ્યાં હતા

ડોમિનિકાઃ PNB બેંક લોન કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકાની સરકારે મોટી રાહત આપી છે. ડોમિનિકાની સરકારે મેહુલ ચોકસી પર "શંકાસ્પદ સંજોગોમાં અને ગેરકાયદેસર રીતે" એન્ટિગુઆ અને બાર્બુડાથી ડોમનિકા દેશમાં પ્રવેશવાના આરોપો પરત ખેંચી લીધા છે. મેહુલના પ્રવક્તાએ લંડનમાં આ જાણકારી આપી છે. મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બાર્બુડાથી ગુમ થયા બાદ ગયા વર્ષે મે મહિનામાં કેરેબિયન ટાપુના દેશ ડોમિનિકામાં મેહુલ ચોકસીની અટકાયત કરાઈ હતી. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડી કર્યાં બાદ તપાસથી બચવા મેહુલ ચોકસી એન્ટીગુઆ અને બાર્બુડા ભાગી ગયો હતો અને ત્યાંની નાગરિકતા લીધી હતી.

મેહુલ ચોક્સીને 51 દિવસ બાદ ડોમિનિકાની હાઈકોર્ટે જામીન આપ્યાં હતા. દરમિયાન ભારત સરકારે તેને પરત લાવવાનો પ્રયાસ કર્યો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમ ખાનગી વિમાન સાથે ત્યાં પડાવ નાખીને રહી હતી. ચોક્સીના વકીલે  આરોપ મૂક્યો હતો કે "ભારતીયો જેવા દેખાતા લોકોએ તેના અસીલ મેહુલ ચોકસીનું એન્ટિગુઆથી અપહરણ કર્યું હતું અને તેને ડોમિનિકા લાવ્યાં હતા.

તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના તમામ કેસોમાં કાર્યવાહી 20 મેના રોજ પાછી ખેંચી લેવામાં આવી હતી. "ચોક્સી ખુશ છે કે ડોમિનિકાની સરકારે મે 2021માં ગેરકાયદેસર પ્રવેશના તમામ આરોપોને પરત ખેંચી લીધા છે." આ કાર્યવાહી સાથે મેહલુને માન્યતા મળી છે કે, તેની સામે ક્યારેય કોઈ કેસ ન હતો થયો."  "ચોક્સીને ભારતના એજન્ટો દ્વારા તેની મરજી વિરુદ્ધ એન્ટીગુઆમાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યો હતો." તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને બોટ દ્વારા ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch