Thu,02 May 2024,3:34 am
Print
header

આણંદનો ભયાનક અકસ્માતઃ ડ્રાઇવર સીટ પર ડ્રાઇવર નહીં પરંતુ..

આણંદ: બુધવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ભાવનગરના વરતેજ આદમજીનગરના મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં એક સાથે 9 વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. બીજી બાજુ અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રકનો નંબર MP09HF 9642 છે અને ઇકો કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. જેનો નંબર GJ10TV 0409 છે.

આ અકસ્માત સમયે ડ્રાઇવર સીટ પર ડ્રાઇવર નહીં પરંતુ મુસ્તફા હતા જે માલેગાવ છોકરી જોવા ગયા હતા આ પરિવાર ત્યાંથી પાછો ફરી રહ્યો હતો. માંલેગાવથી ભાવનગરની સફર લાંબી હતી. જેમાં મુસ્તફા સહિત અન્ય એક પરિવારનાં સભ્યએ પણ ગાડી ચલાવી હોવાનાં વીડિયો વાયરલ થયો હતો. આ સાથે મુસ્તફા પણ ગાડી ચલાવતો હોય તેવા વીડિયો પણ સામે આવ્યો હતો. 

તારાપુર સર્કલ પીઆઈ, આર.એન. વિરાણીનાં જણાવ્યાં પ્રમાણે અકસ્માત બાદ 20 વર્ષીય ટ્રક ચાલક રાજા બગલની (રહે, નાર, મધ્યપ્રદેશ) ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અકસ્માત કેવી રીતે બન્યો તે અંગેની પૂછપરછ રારૂ કરાઈ છે ટ્રક ચાલકના કોરોના રિપોર્ટ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઇકો કાર અને ટ્રક સામસામે અથડાતા ઇકો કાર અડધો ટ્રકમાં ઘુસી જતા ઇકોમાં બેઠેલા તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ગોઝારા અકસ્માતના સમાચાર મળતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓએ આ અકસ્માત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારને રૂપિયા 2-2 લાખ અને મુખ્યમંત્રી રૂપાણીએ પણ રૂપિયા 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch