Fri,26 April 2024,6:18 am
Print
header

આણંદઃ પત્નીના મોત બાદ પતિએ બંને પુત્રીઓને ઝેર આપી પોતે ગળેફાંસો ખાધો, જાણો શું હતું કારણ ?

આણંદઃ શહેરની બોરસદ ચોકડી પાસે રહેતા 30 વર્ષીય પ્રજાપતિ યુવકે પોતાની બે નાની બાળકીઓને ઝેરી દવા પીવડાવીને જાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે મૃતક યુવકની પત્નીનું તાજેતરમાં જ મોત થયું હતું અને બાળકોની જવાબદારી પિતાના માથે આવી પડી હતી. મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હોવાથી અને પત્ની વગર ઘરસંસાર ચલાવવો મુશ્કેલ પડતો હોવાથી યુવકે પોતાની બે બાળકીને ઝેરી દવા આપી જાતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આ ઘટના અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ ચોકડી પાસે જીટોડિયા રોડ વેરહાઉસની પાછળના ભાગે આવેલા વિસ્તારમાં રહેતો ઘનશ્યામ પ્રજાપતિ (ઉં.વ.30) આણંદ ખાતે મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલાં જ પત્ની લલીતાબેનનું કોઈ બિમારીથી મોત થયું હતું તેમજ બે બાળકીઓ એકનું નામ માનસી (ઉં.વ. 6) અને પ્રિયાંશી (ઉં.વ. 3) તથા 7 માસના બાળક દર્શનની જવાબદારી તેના માથે આવી પડી હતી. બે પુત્રીને ઝેરી દવા આપ્યા બાદ જાતે ઘરના મોભ પર દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાત માસનો દર્શન સાસુમા પાસે હોવાથી તે બચી ગયો છે. આજુબાજુના લોકોએ ઘરમાં યુવકને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતાં આણંદ ટાઉન પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટનાસ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ સનસનીખેજ ઘટનાથી મૃતકોના અન્ય પરિવારજનોમાં આઘાતમાં ચાલ્યાં ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch