Sat,27 April 2024,7:51 am
Print
header

એક તરફી પ્રેમમાં રિક્ષાચાલકે પરિણીતાને છરીના ઘા માર્યાં, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ સુરતનો ગ્રીષ્મા હત્યા કેસ હજુ ભુલાયો નથી ત્યાં અમદાવાદના સરદારનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ  પરિણીતા પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં પરિણીતા લોહીલુહાણ થઇ ગઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. પરિણીતા પોતાના પુત્રને સ્કૂલે મૂકવા માટે રોજ તે રિક્ષામાં જતી હતી. જેથી રિક્ષાચાલક સાથે ઓળખાણ થઇ ગઇ હતી. બાદમાં રિક્ષાચાલક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી.

પીડિતાના લગ્ન રાજસ્થાનમાં થયાં હતાં. લગ્ન બાદ તેના પતિ સાથે રાજસ્થાન રહેતી હતી. જ્યાં તે એક બાળકની માતા બની હતી. થોડા સમયથી પતિ સાથે અણબનાવ થતા તે તેના બાળકને લઈને પિયર અમદાવાદ આવી ગઈ હતી. પરિણીતાએ તેના બાળકને ભણવા માટે શાળામાં મૂક્યો હતો. નિશા તેના બાળકને સ્કૂલે મૂકવા માટે રોજ એક જ વ્યક્તિની રિક્ષામાં જતી હતી. જેથી તે રિક્ષાચાલક નવીન ઉર્ફે રાજુ કોષ્ટી સાથે ઓળખાણ થઈ હતી.

ફોન પર તેમની વચ્ચે ઘણી વખત વાતો થતી હોવાથી નવીન નિશાના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે લગ્ન કરવા જીદે ચડ્યો હતો. ગઈકાલે બપોરે નવીન એના પરિવાર સાથે પીડિતાના ઘરે પહોંચી ગયો હતો. અને અહીં બબાલ થતા તેને ઉશ્કેરાઇને છરી વડે પીડિતાના ગળાના ભાગે છરી વડે હુમલો કરતા તે લોહીલુહાણ થઇ હતી. ઈજાગ્રસ્ત પ્રેમિકાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch