Sat,27 April 2024,4:53 pm
Print
header

પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ

- છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની રચના કરી

- પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા પિતામાં રોષ

અમદાવાદઃ દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના રાજકીય પક્ષની રચના કરી છે. વસાવાએ અગાઉ ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચના કરી હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં આ પાર્ટીમાંથી ચૂંટાયેલા નેતાઓ હવે અન્ય પક્ષોના માર્ગે જોડાઈ ગયા છે.

 

છોટુ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી આદિવાસી સેનાના બેનર હેઠળ ચૂંટણી લડશે. વસાવાએ કહ્યું કે વિદેશી શક્તિઓ અને દેશની અંદરના લોકો નિર્દોષ આદિવાસી લોકોને લૂંટવા માંગે છે. તેઓ જીવનભર આદિવાસીઓના હિત માટે લડતા રહેશે, લૂંટનો વિરોધ કરવા તેમણે હવે ભારતીય આદિવાસી સેનાના નામની નવી પાર્ટીની રચના કરી છે. તેમના પુત્ર મહેશ વસાવા હાલમાં જ ભાજપમાં જોડાઇ ગયા છે, ત્યારે પુત્ર ભાજપમાં જતા પિતા છોટુ વસાવાએ તેનો વિરોધ પણ કર્યો હતો.

બીજી તરફ ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરને ભાજપે ઉમેદવાર બનાવ્યાં બાદ તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી. તેમનો વિરોધ કરનારાઓએ કહ્યું હતું કે તેમના નામમાં ઠાકોર અટક લખવામાં આવે છે પરંતુ તેઓ ઓબીસી સમાજના નથી, જેના કારણે ઉત્તર ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં ઓબીસી સમાજના ઠાકોર જ્ઞાતિના લોકો ભાજપ વિરુદ્ધ એકત્ર થવા લાગ્યાં હતા.

પાર્ટીએ શોભનાબેનને ટિકિટ આપી

પાર્ટીએ ભિખાજીની ટિકિટ રદ કરીને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપી છે. હવે ભીખાજી પોતે હિન્દુ ઠાકરડા જ્ઞાતિના હોવાનું કહી રહ્યાં છે, તેમના શાળાના પ્રમાણપત્રમાં આ જાતિ લખેલી છે પરંતુ બાદમાં તેમણે સોગંદનામું આપીને અટક બદલી નાખી હતી.

કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નારાજ

કેન્દ્રીય પશુપાલન અને ડેરીમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બેઠકમાં આપેલા નિવેદનથી ગુજરાતનો ક્ષત્રિય સમાજ નારાજ છે. રાજપૂત કરણી સેના અને ગુજરાત ક્ષત્રિય સમાજના પદાધિકારીઓએ સોમવારે મહેસાણા, દહેગામ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાની માફીની માંગણી કરી હતી.

રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું - કોંગ્રેસ

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. સમાજમાં ઊંડો રોષ છે, હવે તેઓ માફી માંગીને વિવાદને શાંત કરવા માંગે છે પરંતુ સમાજ આનાથી સંતુષ્ટ નથી.

નોંધનીય છે કે તાજેતરમાં જ રૂપાલાએ અનુસૂચિત જાતિના સંમેલનમાં કહ્યું હતું કે ઘણા રાજાઓ અને રજવાડાઓ અંગ્રેજો સામે ઝૂકી ગયા હતા, તેઓએ રોટલી અને બેટી વ્યવહાર કર્યો હતો, પરંતુ અનુસૂચિત જાતિના લોકો ક્યારેય ઝૂક્યાં નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch