અમદાવાદઃ જૂનાગઢના બહુચર્ચિત તોડકાંડ પ્રકરણમાં સસ્પેન્ડેડ અને ફરાર પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાઇ ગયા છે. અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને ગઈકાલે ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અને ઘરના સભ્યોની દોઢ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી અને હવે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. તોડકાંડના આરોપી તરલ ભટ્ટનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. શનિવારે 11 વાગ્યે જૂનાગઢની કોર્ટમાં તેને રજૂ કરાશે.
ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરીને તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ, સસ્પેન્ડેડ એએસઆઈ દિપક જાની અને માણાવદરના સસ્પેેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એસઓજીના પીઆઈ તથા એએસઆઈએ તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી આ તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે. હવે તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.
આ ગેંગે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કર્યા છે. આ કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જુનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58
મસૂરી-દેહરાદૂન રોડ પર એક કાર ખીણમાં ખાબકી, ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત | 2024-05-04 09:16:42
કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા સાથે કનેક્શન હોવાનો દાવો | 2024-05-04 09:03:26
બ્રાઝિલમાં સૌથી વધુ વરસાદ બાદ ભૂસ્ખલન, 37 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-04 08:36:54
કટાક્ષ...મહાત્મા મોદી પણ આ જ ભૂમિમાં પેદા થયા, આ ભૂમિ ધન્ય છે જે બધું સહન કરે છે: મલ્લિકાર્જુન ખડગે | 2024-05-04 08:08:29
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35