ગાંધીનગરઃ રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની તમે ઉજવણી કરી શકો તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.
મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ કોઇએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ચુસ્તપણે પાળવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહી.
ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમિયાન છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે 2 ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ.
રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.૯ મી સપ્ટેમ્બરથી તા.૧૯ મી સપ્ટેમ્બર વચ્ચે આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે ૧ર વાગ્યાથી કરાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પોલીસ સબ ઇન્સ્પેકટર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા, આટલા રૂપિયાની કરી હતી માગણી | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણી વીડિયોથી પ્રગટ થયા, પ્રતાપ દૂધાત અને કોંગ્રેસને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34