રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું અને ક્ષત્રિય સમાજે દાવો કર્યો કે 7 બેઠકો પર ભાજપે હારનો સામનો કરવો પડશે, ત્યાર બાદ ભાજપની પણ ચિંતા વધી ગઇ છે, બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને કારણે ભાજપનું મોટી લિડથી જીતવાનું સપનું તૂટવાનું છે તે નક્કિ છે, ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઇઓએ ભાજપની વિરુદ્ધ મતદાન કર્યું છે.
આ સમગ્ર મામલે ક્ષત્રિય સમાજ પીએમ મોદી સામે પણ રોષ ઠાલવી રહ્યો છે, પરસોત્તમ રૂપાલાએ સ્વીકાર્યું છે કે મારા કારણે ભાજપને નુકસાન થયું છે અને મારા કારણે જ વડાપ્રધાન મોદીએ પણ સાંભળવું પડ્યું હશે, જો કે અગાઉ રૂપાલાની ક્ષત્રિય સમાજની માફી એક રાજકીય નાટક જેવી હતી તેમ આ શબ્દો પણ કદાચ ભાજપની લાગણી મેળવવા જ છે, કારણ કે જો રૂપાલા જીતી જશે તો પણ મંત્રીપદ મળશે કે કેમ તે હજુ સળગતો સવાલ છે ?
આજે પ્રેસ કોન્ફરન્સમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે હું ફરીથી ક્ષત્રિય સમાજની દિલથી માફી માંગુ છું, મારા કારણે આ વિવાદ ઉભો થયો હતો, હું ક્ષત્રિય સમાજને દેશના વિકાસમાં ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરું છું, તેમને ક્ષત્રિય બહેનોની પણ માફી માંગી છે. જો કે ક્ષત્રિય સંકલન સમિતિએ કહ્યું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ભાજપમાં કોઇ પદ પર હશે ત્યાં સુધી તેમનો વિરોધ તો ચાલુ જ રહેશે. ભાજપ જો આગામી સમયમાં આ મામલે કંઇ વિચારશે નહીં તો બધી બાજુથી ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડશે તે નક્કિ છે.
નોંધનિય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર કરેલી ટિપ્પણીને કારણે કેટલીક જગ્યાએ ભાજપના કાર્યકરો અને નેતાઓનો જોરદાર વિરોધ થયો છે. અનેક ગામડાઓમાં ભાજપના લોકોની નો એન્ટ્રી કરી દેવાઇ હતી, ભાજપ વિરુદ્ધ મતદાન માટે રણનીતિ અપનાવવામાં આવી હતી. જો કે ભાજપ ક્ષત્રિય સમાજ સામે જરા પણ ઝુક્યું નથી અને તેને રૂપાલાને રાજકોટ બેઠક પર ચૂંટણી લડાવીને સંદેશ આપ્યો છે કે અમે કોઇ સમાજના દબાણમાં આવવાના નથી.
રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ. pic.twitter.com/lvytEk4eB2
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) May 8, 2024
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
ખંભાતમાં ACB ટ્રેપઃ 1,00,000 રૂપિયાની લાંચનો થયો પર્દાફાશ | 2024-07-24 10:01:30
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
ધોરાજીમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, ચિચોડમાં 3 કલાકમાં 9 ઈંચ વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ- Gujarat Post | 2024-07-19 21:25:44
નવો ઘટસ્ફોટ....TRP ગેમઝોનનું બાંધકામ ન તોડવા સાગઠિયાએ લીધી હતી લાંચ | 2024-07-10 10:45:56
કોઇ કહે છે સીએમ બનાવો, કોઇ કહે છે ડે.સીએમ બનાવો..! મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે કુંવળજી બાવળિયાને લઇને ઉઠી માંગ- Gujarat Post | 2024-07-08 11:32:03
ભ્રષ્ટાચારી સાગઠિયાની કબૂલાત... 22 કિલો સોનાની ખરીદી રોકડથી કરી હતી | 2024-07-06 11:51:39