Mon,29 April 2024,8:12 am
Print
header

મંદિરમાં જઇને પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીધા બાદ અગ્નિસ્નાન કરતાં ચકચાર- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો)

મોરબીઃ પંથકમાંથી એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. મોરબી તાલુકાના નાની વાવડી અને બગથળા ગામની વચ્ચે આવેલા હનુમાન મંદિર પાસે પરિણીત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પી લીધા બાદ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું હતું. જેને લઈને ચકચાર મચી હતી. પરિણીત યુવતીનું મોત થયું હતું. જ્યારે પરિણીત યુવક દાઝી જતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમી પંખીડાએ પ્રેમમાં અંધ થઈને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલા હનુમાન મંદિર ખાતે ઝેરી દવા પીધી

અગ્નિસ્નાનથી પ્રેમિકાનું મોત, પ્રેમી સારવાર હેઠળ

ઘાયલ વ્યક્તિ પરિણીત છે અને 3 સંતાનોના પિતા છે. તેઓ પાણીના કેરબાની ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જેમને ભડિયાદ ગામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમી પંખીડાએ સાથે ઝેરી દવા પીધા બાદ જાત જલાવી હતી. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ બનાવ બાદ બંને પ્રેમીઓના પરિવારને આઘાત લાગ્યો છે. મૃતકનો પરિવાર શોકમગ્ન બન્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch