Thu,02 May 2024,3:39 am
Print
header

અવિરત શ્રદ્ધા-સ્નેહ માટે જનતાને નમન, ભાજપની ભવ્ય જીત પર PM મોદીનું ટ્વિટ

નવી દિલ્હીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. ભાજપની મોટી જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.

મોદીએ ટ્વિટ કરી લખ્યું, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.

અન્ય એક ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch