Fri,26 April 2024,9:15 pm
Print
header

વડાપ્રધાન મોદી ફરી એક વખત આવશે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ- gujarat post

વડાપ્રધાન મોદી ઈસરોના નવ નિર્મિત ભવનનું કરશે લોકપર્ણ 

પાવાગઢ મંદિરના નવીનીકરણ બાદ મોદી પ્રથમ વખત પાવાગઢ જવાના છે 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ સહિતના પક્ષો એક્ટિવ થઇ રહ્યાં છે. વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વધી રહી છે. વડાપ્રધાન મોદી 18 જૂને ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવશે. 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ મંદિરના દર્શને જશે.પાવગઢ મંદિરના નવીનીકરણ બાદ મોદી પ્રથમ વખત પાવાગઢ જવાના છે અને વડોદરામાં જનસભા સંબોધશે.

ગુજરાતમાં વિધાનસભાની  ચૂંટણી આવી રહી છે ત્યારે આપની એન્ટ્રીને કારણે  વડાપ્રધાન મોદીની ચિંતામાં વધારો થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. પીએમ મોદી ફરી એકવાર 10 જૂને ગુજરાત આવી શકે છે. અગાઉ મોદી રાજકોટમાં હોસ્પિટલના ઉદઘાટનમાં અને જામનગરમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી ઈસરોના નવ નિર્મિત ભવનનું લોકપર્ણ કરશે. બોપલ ખાતે ઈસરોના આ ભવનનું નિર્માણ કરાયું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch