રાજકારણમાં એન્ટ્રીને લઇને ગુરૂવારે કાગવડમાં બેઠક
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહીં કરે તેવા સંકેત
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હજુ અટકળો ચાલી રહી છે.કાગવડ ખાતે પાટીદાર સમાજની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહીં કરે તેવું પણ લાગી રહ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથ સહિતની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની સરદાર પટેલ ભવન ખાતે મીટીંગ થઇ હતી. નરેશ પટેલ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યાં હતા. આ બેઠકમાં સંસ્થાઓની સામાજિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય બાબતે ગુરૂવારે કાગવડમાં બેઠક છે.
અહેવાલ અનુસાર ત્રણેય સંસ્થાઓના ટ્રસ્ટીઓને ગુરૂવારે કાગવડની મીટીંગમાં હાજર રહેવા માટે કહેવાયું છે. જ્યાં બેઠકમાં રાજકીય ચર્ચાઓ થશે. નરેશ પટેલ દ્વારા પોતાના નિર્ણય વિશે ટ્રસ્ટીઓને જાણ કરાશે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ નહી કરે તેવા સંકેત મળી રહ્યાં છે. રાજકારણમાં પ્રવેશ વિશે નરેશ પટેલ દ્વારા ખોડલધામની રાજકીય કમિટી મારફત સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં યુવાનો, મહિલાઓએ તેમને રાજકીય પ્રવેશ માટે સમર્થન કર્યું હતું જયારે વડીલોએ સામાજિક કામગીરીને અસર થવાની શંકા દર્શાવીને રાજકારણથી દૂર રહેવા સૂચવ્યું છે. નરેશ પટેલે વડીલોની વાત માનીને રાજકારણ પ્રવેશવાનું માંડી વાળ્યું હોવાની વાત છે. નરેશ પટેલે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર મારફત સર્વે કામગીરી કરાવી હોવાની ચર્ચા છે.
પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે મનમેળ થયો ન હતો. અગાઉ પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં જોડાવાની વાત હતી પરંતુ તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે નહીં. એટલે નરેશ પટેલના પણ રાજકારણમાં જોડાવાની શકયતા ખૂબ ઓછી દેખાઇ રહી છે. છતાં તેમના દ્વારા કેટલાક વખતથી એક પછી એક મુદ્દત આપવામાં આવી રહી હતી, હવે ગુરૂવારે કાગવડ ખાતેની ટ્રસ્ટીઓની બેઠકમાં આખરી નિર્ણય લેવાઇ શકે છે, નોંધનિય છે કે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને લાવવા પ્રયાસ કરી રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17