Sat,27 July 2024,3:52 pm
Print
header

આ માનવસર્જિત આપત્તિ છે, રાજકોટ આગમાં 30 લોકોનાં મોત અંગે હાઇકોર્ટનો સુઓમોટો

રાજકોટઃ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30 લોકોનાં મોત થઇ ગયા છે. આ કેસમાં 6 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસૂમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો દાખલ કર્યો છે.

કોર્ટે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવતું નથી. અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી છે.

હાઇકોર્ટે કહ્યું કે કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે સ્પષ્ટતા માંગી છે. આ મામલામાં આગામી સુનાવણી આવતીકાલે થશે. કોર્ટે રાજ્ય સરકારની સાથે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને સમન્સ પાઠવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch