મહેશ આર પટેલ, એડિટર
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની ભયાનક સ્થિતિના દિવસો તમે સૌ કોઇએ જોયા છે, અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે ક્યાંક કોરોનાના બેડના અભાવે, ક્યાંક ઓક્સીજનના અભાવે તો ગામડાઓમાં પુરતી મેડિકલ સુવિધાઓ ન હોવાને કારણે અનેક લોકોના મોત થયા છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે રાજ્યમાં કોરોનાથી હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ ગયા છે તેમ છંતા ભાજપની આ સરકાર સાચો મોતનો આંકડો દબાવીને જનતા સાથે દ્રોહ કરી રહી છે, ગુજરાતમાં કોરોનાથી થયેલી દુર્દશા વચ્ચે હવે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો છે કે આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન કાર્યાલય પોતાની નિષ્ફળતા છુપાવવા ગુજરાતના નિષ્ફળ મુખ્યપ્રધાનને હટાવીને અન્ય કોઇને મુખ્યપ્રધાનની ખુરશી આપીને તેને ગુજરાતનો પુત્ર ગણાવીને વોટ માંગવા આવી જશે. પરંતુ જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે તે લોકોને ખબર છે કે ગુજરાતનો ગુનેગાર કોણ છે !
अब जब की अगले साल #Gujarat में चुनाव हैं, तो हो सकता है @PMOIndia अपनी सारी नाकामियाँ गुजरात के नाकाम @CMOGuj पर डाल दे और फिर नए चेहरे के साथ गुजरात का बेटा बन वोंट माँगने आ जाए। मगर याद रखिए Damage has been done. जिन्होंने अपनो को खोया है उनका गुनहगार कौन है वो गुजरात जानता है।
— Bharat Solanki (@BharatSolankee) May 20, 2021
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે પ્રજામાં ભાજપ સરકાર સામે જોરદાર આક્રોશ છે, ભાજપ હાઇકમાન્ડને પણ ખબર પડી ગઇ છે કે જનતા આ વખતે તેમને ચમકારો આપશે, તેથી જ હવે વડાપ્રધાન કાર્યાલય ગુજરાતમાં અન્ય કોઇ ચહેરાને સીએમની ખુરશી પર બેસાડી શકે છે ! સોલંકીએ એવો પણ દાવો કર્યો છે કે ભાજપમાં આંતરિક ડખો છે જેને લઇને પણ ગુજરાતના રાજકારણમાં કોઇ મોટા ફેરફાર થવાના એંધાણ છે.
બીજી તરફ ભાજપના આંતરિક સૂત્રો પણ જણાવી રહ્યાં છે કે ગુજરાતના રાજકારણમાં કોઇ મોટા ફેરફારની ચર્ચાઓ તેજ થઇ રહી છે. હાલમાં સીએમ વિજય રૂપાણી વાવાઝોડાથી પ્રભાવિત લોકોને શક્ય એટલી મદદ કરવા સક્રિય છે અને આ બધાની વચ્ચે ભરતસિંહ સોલંકીના દાવાથી ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી રહ્યો છે. નોંધનિય છે કે અગાઉ પીએમ મોદીના નજીકના ગણાતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે મતભેદો હોવાની ચર્ચાઓ પણ અનેક વખત થઇ ચુકી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29