Fri,26 April 2024,10:07 am
Print
header

ગુજરાત અને MCD ની ચૂંટણીમાં હારના ડરથી ભાજપે કેજરીવાલની હત્યાનું ષડયંત્ર કર્યુંઃ સિસોદિયા - Gujarat Post News

(MCD ચૂંટણીમાં સભા સંબોધતાં મનીષ સિસોદિયા)

નવી દિલ્હીઃ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા કરવા માંગે છે. તેમણે કહ્યું કે, ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી ભાજપ કેજરીવાલની હત્યાનું કાવતરું કરી રહી છે.  ભાજપ સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે કહી રહ્યાં છે અને તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. પરંતુ જનતા તેમની ગુંડાગીરીનો જવાબ આપશે.

ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે કેજરીવાલ દાવો કરે છે કે સિસોદિયાની ધરપકડ કરવામાં આવશે, જ્યારે સિસોદિયા કેજરીવાલની હત્યાની આગાહી કરે છે, ખબર નથી શું ચાલી રહ્યું છે. ભાજપના નેતા તજિન્દર પાલસિંહ બગ્ગાએ તેમના આરોપ પર પલટવાર કરતા કહ્યું કે મને લાગે છે કે મનીષ સિસોદિયા કેજરીવાલ જીને મારી નાખવા માંગે છે, તેથી જ તેઓ દર બીજા મહિને બાજપનું નામ લે છે જેથી તેમના પર શંકા ન થાય.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જોરદાર લોક સમર્થન મળી રહ્યું છે. કેજરીવાલ આઈબીના રિપોર્ટથી ગુજરાતમાં તેમની સરકાર બની રહી હોવાનો દાવો કરી રહ્યાં છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મત ગણના થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch