Gujarat Post Fact Check News: કેન્દ્રની મોદી સરકારે સોમવારે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યો હતો. આ કાયદાની દુનિયાભરમાં ચર્ચાંઓ થઇ રહી છે. ભારત સરકાર દ્વારા આ કાયદાને લઇને સાચી હકીકત પણ જણાવવામાં આવી છે, જેમાં મુસ્લિમોને કે અન્ય કોઇ સ્થાનિકોને આ કાયદાથી નુકસાન નથી, પરંતુ આ કાયદાને લઇને ખોટી અફવાઓ લેવાવામાં આવી રહી છે, જેમાં હવે ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(PIB) ની ફેક્ટ ચેક ટીમે અલ જઝીરા ન્યૂઝ ગ્રુપ પર CAA વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.
'અલ જઝીરા ઇંગ્લિશ'માં પ્રકાશિત સમાચારનો સ્ક્રીનશોટ શેર કરતા લખવામાં આવ્યું છે કે, CAAની જોગવાઈઓને લાગુ કરવા માટે મોદી સરકારે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગલ્ફ ન્યૂઝ ચેનલ અલ-જઝીરાએ તેના પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે રજૂ કર્યું. ઉપરાંત લખ્યું, ભારતમાં ચૂંટણીના થોડા સપ્તાહો પહેલા એન્ટી મુસ્લિમ સિટીઝનશિપ લો 2019 લાગુ કરવામાં આવ્યો છે.
Gujarat Post Fact Check News: પીઆઈબીએ લખ્યું, CAA પર 'અલ જઝીરા અંગ્રેજી'નો દાવો ભ્રામક છે. CAA એ કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી, પરંતુ નાગરિકતા આપવા માટે, તે કોઈ ધર્મ-સમુદાયની વિરુદ્ધ નથી.તે માત્ર પડોશી દેશો- અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓને ભારતમાં નાગરિકતા પ્રદાન કરવા માટે સક્ષમ કાયદો છે.
કેન્દ્ર સરકારે પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી શરણાર્થી તરીકે ભારતમાં આવતા લોકો માટે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. આ સુધારામાં આ ત્રણ દેશોના ધાર્મિક લઘુમતી શરણાર્થીઓને એટલે કે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ વગેરેને શક્ય એટલી વહેલી તકે અને લઘુત્તમ પ્રક્રિયા દ્વારા ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ 3 દેશોમાં મુસ્લિમ બહુમતીમાં હોવાથી તેમને તેના દાયરામાં રાખવામાં આવ્યાં નથી.આ મુદ્દે વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનો તેને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યાં છે.
જો કે અમે આ કાયદાને લગતી માહિતી તપાસી તો તેમાં ક્યાંય મુસ્લિમ વિરોધી વાત નથી, આ માત્ર રાજકીય લાભ લેનારાઓ અને અન્ય ભારત વિરોધી મીડિયા સસ્થાઓની ઉપજ છે. જેથી આવી અફવાઓમાં આવીને કોઇએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવી જોઇએ નહીં.
Misinformation is being spread by @AJEnglish regarding the Citizenship Amendment Act, calling the act 'anti-Muslim'#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 12, 2024
▶️This claim is misleading!
1/2 pic.twitter.com/EkaV2sEr5X
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું નિધન, ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો સામે આવ્યો | 2024-05-20 10:33:45
રાષ્ટ્રપતિ રાયસીના ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો, દુર્ઘટના સ્થળે કોઈ જીવિત હોવાના કોઈ સંકેત નથી | 2024-05-20 09:34:00
સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે હાલ પ્રોજેક્ટને અટકાવાયો, સરકારી કચેરીમાં પહેલા લગાવાશે; ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરી આ માંગ – Gujarat Post | 2024-05-20 09:20:35
મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કામાં 13 બેઠકો પર મતદાન, અક્ષય, જ્હાન્વી, રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાએ કર્યું મતદાન | 2024-05-20 09:00:20
અમેરિકા-ઇઝરાયેલના વિરોધી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેસ, તેઓ સુરક્ષિત હોવાનો દાવો | 2024-05-19 22:07:05
અમેરિકાના ઇડાહોમાં બે વાહનોની એકબીજા સાથે ભયંકર ટક્કર, અકસ્માતમાં 6 લોકોનાં મોત | 2024-05-19 12:32:07
ઇન્ડોનેશિયામાં પૂરે મચાવી તબાહી, સુમાત્રા ટાપુમાં ઠંડો લાવા ઘાતક બન્યો, 37 લોકોનાં મોત થયા | 2024-05-13 08:55:05
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
Fact Check: કન્નોજમાં ભાજપને વોટ ન આપવા પર મતદારને ફટકાર્યો હોવાનો વીડિયો ખોટા દાવા સાથે થયો છે વાયરલ- Gujarat Post | 2024-05-15 08:49:09
Fact Check: RBI એ તમામ બેંકોને પાસબુક પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ નથી આપ્યો, સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે કેટલાક લોકો અફવા | 2024-05-14 10:00:01
Fact Check: રાહુલ ગાંધીએ બંધારણને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોનું સત્ય | 2024-05-11 09:39:59
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48