Fri,26 April 2024,3:55 pm
Print
header

મંત્રી બાવળિયાએ કોળી સમાજના ગુજરાત અધ્યક્ષ પદેથી ચંદ્રકાંત પીઠાવાલાને હટાવતા વિવાદ

રાજકોટ: કેબિનેટ મંત્રી અને કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયાના એક પત્રથી કોળી સમાજમાં વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ ગુજરાત કોળી સમાજના પ્રમુખ પદેથી ચંદ્રકાંત પીઠાવાલાને દૂર કર્યાં છે. જેને કારણે મોટો વિવાદ ઉભો થયો છે. કુંવરજી બાવળીયાએ એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે લેટર પેડનો ઉપયોગ સમાજના ઉત્કર્ષને બદલે રાજકીય રીતે કરવામા આવ્યો છે જેથી તેમને આ કાર્યવાહી કરી છે. જો કે ચંદ્રવદનએ કુંવરજી બાવળિયાના પત્રને ગેરબંધારણીય ગણાવ્યો છે.

તેમણે દાવો કર્યો છે કે બાવળિયાનો કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન મહિનામાં જ પૂર્ણ થઈ ગયો છે, તેમની પાસે કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી. થોડા દિવસ પહેલા ખેડૂત આંદોલન અને LRDના જવાનોને પીઠાવાલાએ ટેકો આપ્યો હતો.ચંદ્રકાંત પીઠાવાલા લેટરપેડનો ઉપયોગ સમાજના ઉત્કર્ષને બદલે રાજકીય રીતે કરતા હોવાનો આરોપ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ લગાવ્યો છે. 8 દિવસ પહેલા પીઠાવાલાને નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો.જેનો જવાબ ન આપ્યો હોવાનો દાવો કુંવરજી બાવળિયાએ કર્યો છે. સાથે સમાજને નુકસાન થાય તેવા નિર્ણય ચંદ્રકાંત પીઠાવાલા કરતા હોવાનો આરોપ કુંવરજી બાવળિયાએ લગાવ્યો છે.જેને લઇને હવે કોળી સમાજનો આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch