Sat,27 April 2024,1:59 pm
Print
header

ભેસાણ તાલુકા ભાજપના મંત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા- Gujarat Post

રાજકોટઃ ભેસાણ તાલુકાના ગળથમાં રહેતા તાલુકા ભાજપના મંત્રી બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યાં બાદ ગામ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા. આ અંગે જાણ થતા ભેસાણ પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યો હતો. ભેસાણ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યાં હતા. તેઓએ હત્યારાની ધરપકડની માંગ કરી હતી.

ભેંસાણ તાલુકાના ગળથ ગામમાં રહેતા પૂર્વ સરપંચ અને હાલ ભેસાણ તાલુકા ભાજપના મંત્રી તરીકે સેવા આપતા વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા(ઉ.વ. 59)બે દિવસ પહેલા રાત્રે 10 વાગ્યે બાઈક લઈ ઘરેથી નીકળ્યાં હતા. મોડી રાત સુધી ઘરે પરત આવ્યાં ન હતા. દરમિયાન ગામ નજીક આવેલી દરગાહ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં વિનુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ આ અંગે જાણ કરતા ભેસાણ પીએસઆઈ એમ.એન. કાતરીયા સહિતના સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતા વિનુભાઈના ગળા, છાતી તથા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યાં હતા. વિનુભાઈના આંતરડા બહાર નીકળી ગયા હતા અને સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.

પોલીસે મૃતદેહને ભેસાણ પી.એમ.માં ખસેડયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. તેઓએ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી. મૃતક વિનુભાઈ ડોબરીયાના ભાઈ ચંદુભાઈ ડોબરીયાએ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી સીસીટીવી તેમજ કોલ ડિટેઈલના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું કે, પક્ષના કાર્યકરની હત્યાથી ગમગીની વ્યાપી છે. આરોપીઓને તાત્કાલીક પકડી કડક સજા થાય તે માટે એસપીને રજૂઆત કરવામાં આવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch