રાજકોટઃ ભેસાણ તાલુકાના ગળથમાં રહેતા તાલુકા ભાજપના મંત્રી બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યાં બાદ ગામ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા. આ અંગે જાણ થતા ભેસાણ પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યો હતો. ભેસાણ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યાં હતા. તેઓએ હત્યારાની ધરપકડની માંગ કરી હતી.
ભેંસાણ તાલુકાના ગળથ ગામમાં રહેતા પૂર્વ સરપંચ અને હાલ ભેસાણ તાલુકા ભાજપના મંત્રી તરીકે સેવા આપતા વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા(ઉ.વ. 59)બે દિવસ પહેલા રાત્રે 10 વાગ્યે બાઈક લઈ ઘરેથી નીકળ્યાં હતા. મોડી રાત સુધી ઘરે પરત આવ્યાં ન હતા. દરમિયાન ગામ નજીક આવેલી દરગાહ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં વિનુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ આ અંગે જાણ કરતા ભેસાણ પીએસઆઈ એમ.એન. કાતરીયા સહિતના સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતા વિનુભાઈના ગળા, છાતી તથા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યાં હતા. વિનુભાઈના આંતરડા બહાર નીકળી ગયા હતા અને સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.
પોલીસે મૃતદેહને ભેસાણ પી.એમ.માં ખસેડયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. તેઓએ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી. મૃતક વિનુભાઈ ડોબરીયાના ભાઈ ચંદુભાઈ ડોબરીયાએ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી સીસીટીવી તેમજ કોલ ડિટેઈલના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું કે, પક્ષના કાર્યકરની હત્યાથી ગમગીની વ્યાપી છે. આરોપીઓને તાત્કાલીક પકડી કડક સજા થાય તે માટે એસપીને રજૂઆત કરવામાં આવી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17