Fact Check-
તમે આવી કોઇ ફેક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરતા અને શેર પણ ન કરતા
એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં 100 રૂપિયાની જૂની નોટ સિરીઝને અમાન્ય જાહેર કરી છે. દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે આરબીઆઈએ આ જૂની નોટો બદલવાની સમયમર્યાદા 31 માર્ચ 2024 સુધી આપી છે.
Fact Check News, જાણો સત્ય શું છે ?
આ દાવો ખોટો છે. RBIએ 100 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચવા અંગે આવી કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી. અમે આરબીઆઈના એક અધિકારીનો સંપર્ક કર્યો, તેમણે પણ આ વાયરલ દાવાને ફગાવી દીધો છે.
અમને સત્ય કેવી રીતે ખબર પડી ?
અમે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ તપાસી, અહીં અમને 100 રૂપિયાની જૂની નોટો સંબંધિત કોઈ સૂચના મળી નથી. તેમજ અમને આ અંગે કોઈ સમાચાર મળ્યાં નથી. RBIનો સૌથી તાજેતરનો પરિપત્ર 100 રૂપિયા માટે નહીં પણ 2,000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચવાનો હતો.
આ પોસ્ટ 19 મેના રોજ શેર કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે 2,000 રૂપિયાની નોટ સત્તાવાર રીતે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. આ પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જનતાએ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં રૂ. 2,000ની બેંક નોટ જમા કરાવવી અથવા બદલી કરવી જોઈએ.
RBIએ 2018માં 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. નવી નોટો લવંડર રંગની હતી અને તેમાં અન્ય ઘણી પેટર્ન અને ડિઝાઇન હતી. આ સર્ક્યુલરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જૂની નોટ સહિત 100 રૂપિયાની તમામ નોટો લીગલ ટેન્ડર હશે.
આરબીઆઈની વેબસાઈટ પર અન્ય વિભાગમાં 100 રૂપિયાની જૂની નોટોની એક તસવીર પણ હતી, જેમાં તેને માન્ય અને કાનૂની ટેન્ડર તરીકે વર્ણવવામાં આવી હતી. આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું કે 2016ના નોટબંધી પછી માત્ર રૂ.500 અને રૂ.1,000ની જૂની નોટો જ ડિમોનેટાઇઝ કરવામાં આવી છે. 2021 માં આરબીઆઈએ તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર આ વાયરલ દાવાને રદિયો આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે 100, 10 અને 5 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચી લેવાના દાવા ખોટા છે.
With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.
— ReserveBankOfIndia (@RBI) January 25, 2021
આરબીઆઈના પ્રવક્તાનું નિવેદન: અમે આરબીઆઈના પ્રવક્તા યોગેશ દયાલનો સંપર્ક કર્યો, જેમણે આ વાયરલ દાવાઓને રદિયો આપ્યો. તેમણે કહ્યું કે RBIએ આવી કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી. RBI દ્વારા 100 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવા અંગેનો વાયરલ દાવો ખોટો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કામાં 13 બેઠકો પર મતદાન, અક્ષય, જ્હાન્વી, રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાએ કર્યું મતદાન | 2024-05-20 09:00:20
Swati Maliwal Case: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, ઘટના સમયના CCTV ફૂટેજ ગાયબ, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો | 2024-05-19 09:10:59
બેડમાં રૂપિયા જ રૂપિયા...રૂ. 40 કરોડની રોકડ મળી, જૂતાના વેપારીની અપાર સંપત્તિ જોઈને આઈટી અધિકારીઓ ચોંકી ગયા | 2024-05-19 08:37:44
સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે, હાથ પકડીને CM આવાસમાંથી કાઢવામાં આવ્યાં હતા બહાર- Gujarat Post | 2024-05-18 12:33:06
હરિયાણાઃ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 8 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-18 08:42:54
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
Fact Check: કન્નોજમાં ભાજપને વોટ ન આપવા પર મતદારને ફટકાર્યો હોવાનો વીડિયો ખોટા દાવા સાથે થયો છે વાયરલ- Gujarat Post | 2024-05-15 08:49:09
Fact Check: RBI એ તમામ બેંકોને પાસબુક પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ નથી આપ્યો, સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે કેટલાક લોકો અફવા | 2024-05-14 10:00:01
Fact Check: રાહુલ ગાંધીએ બંધારણને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોનું સત્ય | 2024-05-11 09:39:59
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48