બેટ દ્વારકાઃ અલ હુસૈનીમાં ભારતીય માછીમારી બોટ અને પાકિસ્તાની નૌકાદળની બોટ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક ભારતીય માછીમાર અને પાકિસ્તાની નૌકાદળના જવાનનું મોત થયું હતું. ભારતીય બોટ પાકિસ્તાની જળસીમામાં ઘૂસી ગઈ હતી, ત્યારબાદ પાકિસ્તાન નેવી અને ભારતીય માછીમારો વચ્ચે સમુદ્રની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને તરફથી એક-એકનું મોત થયું હતું. ભારતીય બોટમાં 7 માછીમારો હતા જેમાંથી એક મૃત હાલતમાં મળી આવ્યો હતો અને બાકીના 6 હજુ પણ લાપતા છે.
ભારતીય બોટ 15 માર્ચ 2024ના રોજ 7 માછીમારો સાથે બેટ દ્વારકાથી માછીમારી માટે નીકળી હતી. 21 માર્ચ, 2024 ના રોજ જખૌથી 12 નોટિકલ માઇલના અંતરે બોટને નુકસાન થયું હતું, જે પછી બોટ માલિકે ઓખા ફિશરીને લેખિતમાં જાણ કરી હતી. બોટ માલિક ઈરફાન અલાનાએ કબૂલ્યું હતું કે 7 માંથી બે માછીમારો 18 વર્ષથી ઓછી ઉંમરના હતા અને ગુમ થયા હતા. બોટ તૂટેલી હાલતમાં મળી આવી હતી, 7 માછીમારોમાંથી 1 મૃત હાલતમાં મળી આવ્યો હતો, બાકીના 6 હજુ લાપતા છે. માછીમાર સાયલ મામદ પાંજરીનું પોસ્ટમોર્ટમ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
6 ભારતીય માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં હોવાનો અંદાજ
ભારતીય એજન્સીના સૂત્રોના જણાવ્યાં અનુસાર ભારતીય બોટ માછીમારી કરતી વખતે પાકિસ્તાનના જળસીમામાં ઘુસી ગઈ હતી અને પાકિસ્તાન મરીન એજન્સીની બોટ તેમને પકડવા પહોંચી હતી, જેને જોઈને આ લોકો ભાગ્યા હતા અને બંને બોટ અથડાઈ હતી. આ અથડામણમાં પાકિસ્તાની મરીન એજન્સીનો એક ખલાસી અને ભારતીય બોટના બે લોકો દરિયામાં પડ્યાં હતા. તેમજ ગઈકાલે એક ભારતીય માછીમારનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે 6 ભારતીય માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
ખંભાતમાં ACB ટ્રેપઃ 1,00,000 રૂપિયાની લાંચનો થયો પર્દાફાશ | 2024-07-24 10:01:30
અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ, રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી- Gujarat Post | 2024-07-23 09:26:12